ભ્રષ્ટાચારને નાથવા દમણવાસીઓ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાયા છે.. દમણમાં વીજ કંપનીમાં ચાલતી ગેરરીતીઓ અને ભ્રષ્ટાચારની તપાસની માગ કરવા શાંતિ રેલી કાઢી હતી. વીકટીમ કમિટીના નેજા હેઠળના સંગઠનોએ શાંતિ રેલી દ્વારા પ્રશાસનને આવેદન પત્ર આપી તપાસની માગ કરી છે.
ભ્રષ્ટાચારથી ખદબદતા દમણના સરકાર તંત્ર સામે દમણવાસીઓ જંગે ચડયા છે. ભ્રષ્ટાચારને નાથવા માટે વિકટીમ કમિટીના નેજા હેઠળના સંગઠનોએ અને દમણવાસીઓએ વીજ વિભાગમાં ચાલતી ગેરરીતો અને ભ્રષ્ટાચારને લઈને શાંતિ રેલી કાઢી હતી.. વિવિધ માગોને લઈને દમણના બસ ડેપોથી નીકળેલી શાંતિ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.ભ્રષ્ટાચારને નાથવા માટે સંગઠનો અને દમણવાસીઓએ પ્રશાસક સાથે બેઠક યોજી કેટલીક માગો સાથેનું આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
દમણમાં વીજ કંપનીએ 120 કરોડનો કથિત ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ વિકટીમ કમિટી કરી રહી છે.. આ ઉપરાંત વીજ ગોટાળો સરભર કરવા મીટર સાથે ચેડા કરાયા છે વીજ કંપનીનું ઓડિટ થતુ નથી. તેમજ RTI દ્વારા પણ વીજ કંપનીની માહિતી પણ મળતી ન હોવાનુ વીકટીમ કમિટી જણાવી રહી છે. વીજ કંપનીની કન્ઝયુમર ફોરમની ઓફિસ પણ શહેરી વિસ્તારમાંથી ગ્રામણી વિસ્તારમાં ખસેડાતા લોકો રોષે ભરાયા હતા.
દમણમાં સરકારી બાબુઓની લાલયાવાડીની રજૂઆતો પ્રશાસનને અનેકવાર કરાઈ છે. છતા કોઈ પરિણામ આવ્યુ નથી. જેને પગલે દમણવાસીઓએ શાંતિ રેલી કાઢીને આવેદનપત્ર આપ્યુ અને ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી નહી થાય તો કાળા વાવટા બતાવી આંદોલન કરવાની પણ ચિમકી આપી છે.