વડોદરાના લાલબાગ બ્રીજ પાસેના એસઆરપી ગ્રુપ-1માં છેલ્લા આઠ મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે. જેને કારણે હજારો ગેલન પાણીનો વ્યય થઇ રહ્યો છે.. આ મામલે અનેક વખત રજૂઆત છતાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં ભરાયાં નથી.
વડોદરા શહેરના લાલબાગ બ્રીજ પાસે આવેલા એસઆરપી ગ્રુપ-1માં રોજેરોજ હજારો ગેલન પાણીનો બગાડ થઈ રહ્યો છે.અહી છેલ્લા આઠ મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે છતાં પણ પણ કોર્પોરેશને સમારકામની કામગીરી હાથ ધરી નથી.. આ મામલે વડોદરા કોર્પોરેશને પોતાના હાથ ઊંચા કરી દીધા છે.. અને આ કામગીરી તેમના કાર્યક્ષેત્રમાં આવતી ન હોવાનું જણાવ્યું છે. ત્યારે એસઆરપી ગ્રુપ-1ના અધિકારીઓએ આ મામલે સંબંધિત પોલીસ આવાસ નિગમ અને પીડબ્લ્યુડી વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી.
શહેરમાં ઓછા પ્રેશરથી આવતા પાણીની સમસ્યા અનેક વિસ્તારોમાં છે. ત્યારે આવી રીતે પાણીનો વ્યય થાય તે કેટલી હદે યોગ્ય છે તે પ્રજા સૌ કોઈને સતાવી રહ્યો છે સાથે જ અહી ડ્રેનેજ લાઈન તૂટેલી હોવાના કારણે પીવાનું પાણી અને ગટરનું પાણી મિકસ થાય છે. અને આવું પાણી રસ્તા પર ફરી વળતાં એસઆરપી ગ્રુપ-1 કમ્પાઉન્ડમાં બીમારીની દહેશત ફેલાઈ રહી છે