રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં રસ્તા પર ગાયોનો સૌથી વધારે ત્રાસ છે.ત્યારે RMC અને પોલીસ દ્રારા સયુંકત રીતે ગાયોને પકડી માલધારી વિરુદ્ધ કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે રાજકોટના મેયર દ્રારા તેનો વિરોધ કરવામાં આવતા ભારે વિવાદ સજૉયો છે. જેથી રાજકોટના કમીશ્નર અજય ભાદુ બે દિવસ રજા પર ઉતરી ગયા હતા.
રાજકોટના મેયર રક્ષાબેન બોળીયા માલધારી સમાજમાંથી આવે છે.પોલીસ કે મહાનગપાલિકાની ઢોર પકડ પાટી દ્રારા રસ્તા પર રખડતા ઢોર પકડવામાં આવે છે.ત્યારે માલઘારી સમાજના આગેવાનો દ્રારા મેયરને રજુઆત કરવામા આવી છે કે રખડતા ઢોરને પકડવામા ન આવે.. જેને લઇને પોતાના સમાજનું ઉપરાણુ લઇને મેયર દ્રારા અધીકારીઓને આ બાબતે ઢીલી નીતી રાખવા માટે સુચન કરવામા આવે છે.
રાજકોટના મેયર રક્ષાબેન બોળીયા દ્રારા રાજકોટના કમીશ્નર અજય ભાદુ સહીતના અધીકારીઓને એવી વાત કરવામા આવી છે.કે પહેલા રખડતા ઢોર બાબતે કાયદો શુ છે તેની માલઘારીને જાણ કરવામા આવે.
રાજકોટ શહેરમાં આજે પચ્ચીસ હજાર કરતા વઘારે રખડતા ઢોરને લઇને શહેરની પંદર લાખની વસ્તી હેરાન પરેશાન છે.શહેરમા બેફામ રીતે માલધારીઓ દ્રારા ઢોરને છોડી મુકવામા આવે છે જેના કારણે ટ્રાફીકની સમસ્યાઓ સજૉય છે. જો કે હવે આ મામલો પોલીસ સુઘી પંહોચ્યા છે પોલીસ દ્રારા પશુ એકટ હેઠળ સીઘો ગુન્હો દાખલ કરવામા આવે છે રાજકોટ મહાનગરપાલિકાના કમીશ્નરે કોઇ પણ રાજકીય દબાણને વશ થયા વિના પશુઓને પકડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગપાલિકામાં મેયર સિવાયના ભાજપ હોદેદારો અને વિપક્ષના આગેવાનો રખડતા ઢોરને તાત્કાલિક પકડવા જોઇએ અને તેના માલિક વિરુઘ્ઘ કાયદેસરની કાયૅવાહી કરવાની તરફેણમાં છે.. તો મેયર દ્રારા આ બાબતે ઢીલી નીતી રાખવા માટે અધીકારીઓને દબાણ કરવામાં આવે છે.. ત્યારે સમગ્ર મામલે મેયર અને આરએમસી કમીશ્નરના મતભેદને લઇને રાજકોટનું રાજકારણ ગરમાયુ છે.જો કે આ મામલે ને લઇને અજય ભાદુ બે દીવસ રજા પર ઉતરી ગયા હતા.