જસ્ટીસ ગાંગુલી યૌન શોષણ મામલે પીડિત ઈંટર્નનો નવો બ્લોગ સામે આવ્યો છે. પીડિતાએ પોતાના બ્લોગ પર જસ્ટીસ ગાંગુલીએ લગાવેલા આરોપોને નકારી કાઢયા છે. લૉ ઈંટર્ને બ્લોગમાં પૂર્વ જસ્ટીસ ગાંગુલીના દાવાઓને પાયા વિહોણા ગણાવ્યા છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ અશોક કુમાર ગાંગુલીએ સોમવારે મુખ્ય ન્યાયાધિશને એક પત્ર લખી પોતાના પર લાગેલા યૌન શોષણ તથા વાંધાજનક આચરણના આરોપોને નકારી કાઢયા હતા. જસ્ટીસ ગાંગુલીએ 12 પન્નાના પત્રમાં સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની તપાસ કમિટી પર સવાલો ઉઠાવતા લખ્યું કે તેમણે કોઈ મહિલા ઈંટર્નનું યૌન શોષણ નથી કર્યુ. અને ન તો કોઈ વાંધાજનક આચરણ કર્યુ. તેમણે લખ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે દેશની સર્વોચ્ચ અદાલતે તેમની વાત ધ્યાનથી ન સાંભળી. ત્યારે પીડિત યુવતીએ જસ્ટીસ ગાંગુલીના દાવાઓને જડમૂળમાંથી રદિયો આપતા બ્લોગ પર લખ્યું છે કે.
ઘટના બાદ જ્યારે હું કોલેજ પરત ફરી તો મે આ મામલે મારા શિક્ષકોને જાણ કરી પરંતુ ઘટના ઈંટર્નશિપ દરમિયાન ઘટી હતી તથા યૂનિવર્સિટીમાં ઈંટર્નશિપ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીના યૌન શોષણ પર કોઈ પૉલિસી નથી જેને લઈને મને સલાહ આપવામાં આવી કે ફરિયાદ કરવાથી કઈ નહીં થાય. મને જણાવાયું કે આ મામલે એકજ માર્ગ છે કે પોલીસમાં ફરિયાદ કરવામાં આવે અને તેવું હું ઈચ્છતી ન હતી.પરંતુ બાદમાં મને થયું કે આ મામલે મારે અન્ય વિદ્યાર્થિનીઓને જાણ કરવી જોઈએ કે આવી સારી જગ્યાઓએ પણ આવા પ્રકારની ઘટના બને છે જેને લઈને મારે બ્લોગનો સહારો લેવો પડયો.મે ક્યારેય પણ માનનીય જજોની મનશા પર સવાલો નથી ઉઠાવ્યા મને ન્યાય મળશે તેવો પૂર્ણ વિશ્વાસ હતો.મે કાર્યવાહીની ગોપનિયતાની વાત કરી હતી જેનાથી સૌની પ્રાઈવસી બનેલી રહે.કમિટીએ પોતાની તપાસમાં શું મેળવ્યું તે તમામને ખબર છે.
18 નવેમ્બર 2013ના દિવસે હું કમિટી સામે હાજર થઈ અને મારું મૌખિક તથા લેખિત નિવેદન આપ્યું.29 નવેમ્બર 2013ના દિવસે મે સુપ્રીમકોર્ટની કમિટીને આપેલા નિવેદન પર હસ્તાક્ષર કરતા કબૂલાતનામું એડિશનલ સૉલિસિટર જનરલ ઑફ ઈંડિયા ઈંદિરા જયસિંહને મોકલી આપ્યું હતું.કબૂલાતનામામાં મારી સાથે થયેલા યૌન શોષણની વાત હતી મે તેમને વિનંતી કરી કે તેઓ સાચી કાર્યવાહી કરે.કમિટીના રિપોર્ટ છતા કેટલાક નામી વ્યક્તિઓ તથા કાયદાના દિગ્ગજોએ મને બદનામ કરવાની કોશિશ કરી.મારી બદનામી તથા સુપ્રીમકોર્ટની કમિટી પર ઉઠતા સવાલોને ધ્યાનમાં રાખતા મે ઍડિશનલ સૉલિસિટર જનરલ ઓફ ઈંડિયા ઈંદિરા જયસિંહે મારા નિવેદનને સાર્વજનિક કરવા કહ્યું.હું કહેવા માગુ છે કે જો મારા નિવેદનને ખોટું સાબિત કરાઈ રહ્યું છે તે ન ફક્ત મારી બદનામી કરી રહ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટનું પણ અપમાન કરી રહ્યા છે.મારી વિનંતી છે કે મારે શું કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ તે મારા વિવેક પર છોડી દેવું જોઈએ.હું માગ કરું છું કે મારી આઝાદીની કદર હોવી જોઈએ.હું ફરી જણાવવા માગુ છું કે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા મે સમગ્ર પ્રકરણમાં જવાબદારી સાથે દરેક પગલું ભર્યુ છે. જે લોકો ખોટી અફવા ઉડાવી રહ્યા છે મામલાને રાજકીય રંગે રંગવાની કોશિશ કરી રહ્યા છે તેઓ પૂર્વગ્રહ તથા દુર્ભાવનાના કારણે આવું કરી રહ્યા છે જેનાથી મામલાને દબાવી દેવામાં આવે અને જવાબદારીથી બચી શકાય. પીડિતાના આ નિવેદન મામલે સ્પષ્ટતાની કોઈ જરૂર નથી.કારણકે નિવેદન જ ઘણું બધું કહી જાય છે.