લાંચકેસમાં આસારામની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે. આથી સુરત પોલીસની ટીમ જોધપુર જવા રવાના થઈ છે. સુરત પોલીસની ટીમ જોધપુર જેલમાં આસારામને મળશે. અને આસારામને કોણ કોણ મળ્યું તે અંગે તપાસ કરશે. સુરત પોલીસને શંકા છે કે સાંઈએ જે લાંચ માટે પૈસા એકત્ર કર્યા હતા એમાં આસારામની પણ સંડોવણી હોઈ શકે છે. અગાઉ લાંચકેસમં પોલીસે આઠ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. બાદમાં સાંઈની પણ ધરપરડ કરી છે. ત્યારે હવે સાંઈના પિતા આસારામ પર પણ શંકાની સોય તકાઈ હોવાથી આશુમલની પણ મુશ્કેલી વધી શકે છે.