દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ તથા મુખ્યમંત્રીઓની બેઠક મળી હતી..જેમાં 2014ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી...બેઠક બાદ પાર્ટી નેતા અનંત કુમારે જણાવ્યું કે ભાજપ નરેદ્ર મોદી ફોર PM અભિયાન ચલાવશે તથા 10 કરોડ પરિવારો સુધી જશે...ભાજપનું કહેવું છે કે તેઓ જનતા પાસે મત પણ માગશે અને પૈસા પણ...દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનનું દબાણ ભાજપ પર પણ જોઈ શકાય છે..બેઠકમાં મતદાતાઓ સાથે સીધો જ સંપર્ક બનાવવાની જરૂરિયાત પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી...સાથે જ સાફ છબી ધરાવતા ઉમેદવારોને જ ચૂંટણી લડવા દેવામાં આવશે.ભાજપે કહ્યું કે દેશભરમાં મોદીની રેલીઓનું આયોજન કરવામાં આવશે.તો 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે ભાજપ શાસિત રાજ્યોમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે..