ગુજરાત જાહેર સેવા આયોગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ આજે હડતાળ પર ઉતર્યા હતા.કર્મચારીઓના પ્રમોશન અને આયોગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં ન આવતા હડતાળ કરવામાં આવી હતી.અધિકારીઓના પ્રમોશનની ફાઈલને આયોગના સચિવે ફેંકી દેતા કર્મચારીઓ રોષે બરાયા હતા.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા લેવામાં આવતી પરીક્ષામાં થતી ઢીલનું કારણ આયોગમાં ખાલી પડેલી જગ્યાઓ છે.અત્યારે સાત ડેપ્યુટી સેક્રેટરીની જગ્યામાંથી છ જગ્યાઓ ખાલી છે.જોઈન્ટ સેક્રેટરીની ત્રણ જગ્યામાંથી ત્રયેય જગ્યા ખાલી છે.અધિકા સચિવની પણ એક જગ્યા ખાલી છે.આમ ગુજરાત જાહેર સેવા આયોગમાં ~લાસ વન ઓફીસરની આટલી બધી જગ્યા ખાલી હોય તેમનો પર્ફોમન્સ ઈન્ડે~સ કેવી રીતે ઉંચો આવી શકે.જેને લઈને આજે વહીવટી કર્મચારીઓ હડતાળ પાડી જગ્યા ભરવા માંગ કરી હતી.
આયોગમાં પ્રમોશનની લાયકાત ધરાવતા ~લાસ-2 ઓફિસરો હોવા છતાં છેલ્લા 5 વર્ષથી કોઈને પ્રમોશન આપવામાં આવતું નથી.આજે પ્રમોશનની ફાઈલ આયોગના કાર્યકારી સચિવ વી.એન.દેસાઈ સમક્ષ મુકવામાં આવી હતી.પરંતુ સચિવે આ ફાઈલ પર સહી કરવાને બદલે અધિકારી સામે ફેંકી દીધી હતી.જેને લઈને અધીકારીઓ અને કર્મચારીઓ રોષે ભરાયા હતા.કાર્યાકારી સચિવે મીડીયા કર્મચારી સામે પણ ગેરવર્તણૂંક કરી હતી.આયોગના કર્મચારી મંડળે ડેપ્યુટેશન પર કામ કરી રહેલા સચિવ વી.એન.દેસાઈને હટાવી કાયમી સચિવની નિમણૂંક કરવાની માંગ કરી છે.
આયોગની સુરક્ષાને લઈને એક હવાલદાર અને ચાર નાયકની જગ્યાઓ પણ ઘણાં સમયથી ખાલી છે.ઉપરાંત આયોગની ઓફીસ ખોલવા-બંધ કરવા માટે વર્ગ-4ના કર્મચારીઓને ફરજીયાત હુકમ કરવામાં આવ્યો છે.તેના માટે વર્ગ-4ના કર્મચારીઓએ વોચમેનની જગ્યા ભરવાની માંગ કરી છે.એક તરફ વર્ગ ચારના કર્મચારીઓની સંખ્યા ઓછીને જવાબદારીઓ વધારે છે.ચીફ ઓફીસરનું પેપર લીક થયા બાદ વર્ગ-4ના કર્મચારીઓ માટે નોકરી કરવી જોખમ કારક થઈ ગઈ છે.
આયોગનું સ્વતંત્ર બીલ્ડીંગ ખાલી પડેલી જગ્યાઓ અને અધિકારીઓના અટકેલા પ્રમોશન અને આયોગના પારદર્શક વહીવટને લઈને લઈને કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે.જો 24 કલાકમાં આયોગ દ્રારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આવતી કાલથી ઉગ્ર હડતાળ અને 1લી જાન્યુઆરીથી ભુખ હડતાળ કરવામાં આવશે.