લોકપાલ બિલ પાસ થતાં રાલેગણ સિદ્ધિમાં જશ્નનો માહોલ સર્જાયો હતો. ઉપવાસી અણ્ણા હજારે કિરણ બેદી સહિત તેમના સમર્થકોએ લોકપાલ બિલને આવકાર્યું છે. લોકપાલ બિલને અન્ના હજારેએ દેશ માટે સારું પગલું ગણાવ્યું હતું. અન્નાએ કહ્યું કે દેશની જનતા ઇચ્છતી હતી કે લોકપાલ બિલ આવે. અન્નાએ કહ્યું કે ભ્રષ્ટાચારને રોકવા માટેનો એક સશ~ત કાયદો ભારતમાં આવ્યો છે તેનો આનંદ છે. જોકે અન્નાએ એમ પણ કહ્યું હતું કે આ લોકપાલથી 100 ટકા ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય. આ બિલથી 50 ટકા ભ્રષ્ટાચારને રોકી શકાશે. અન્નાએ એમ પણ કહ્યું હતું કે વહેલી તકે દેશમાં લોકપાલ કાનૂન લાવવામાં આવે જેથી દેશમાં થતાં ભ્રષ્ટાચાર પર રોક લાગી શકે.