આજે મોરબી બંધનું એલાન છે. મોરબીમાં સિરામીક ઉધોગે ગેસના કમર તોડ ભાવ વદ્યારો ઘટાડવાના મુદે રાજય સરકાર સામે છેડેલા અહિંસક લડતના ભાગ રૂપે આપેલા મોરબી બંદ્યના એલાનને પ્રચંડ જનસમર્થન મળ્યું છે. સિરામીકની ગરીમા સભર આરપારની લડાઈમાં મોરબી શહેર અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સ્વયંભુ જોડાયા છે. મોરબીના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સિરામીક ઉદ્યોગને આપમેળે મળેલા જબરજસ્ત પ્રતિભાવથી લડત અભુતપુર્વ બની રહેવાની સંભાવના છે. ત્યારે શરૂઆતથી રતીભાર પણ હકારાત્મક વલણ નહીં દાખવનારી રાજયસરકાર કેવું વલણ અપનાવે તેના પર સૌની નજર કેદ્રીત થઈ છે. આ સંદર્ભે સિરામીક અગ્રણી ચુનીલાલ પટેલે જણાવ્યું હતું કે સિરામીક ઉધોગના આંદોલનને વેગ આપવા ચેમ્બર ઓફ કોમર્સે મોરબી બંદ્યનું એલાન આપ્યું છે. જેમાં શહેરના તમામ ઉધોગપતિ માર્કેટીંગ યાર્ડ સ્વનિર્ભર શાળા કોલેજો આજુબાજુના 85 ગામના સરપંચ અમદાવાદ વડોદરા સુરતના ટાઈલ્સના વેપારીઓ અને ઉધોગ સાથે સંકળાયેલા તમામ લોકો મોરબી થાન વાંકાનેર સિરામીક તથા પેકેજીંગ સેનેટરી વેર્સ સહિત અનેક સંગઠનો સ્વૈચ્છાએ જોડાયા છે.
મોરબી સિરામીક ઉઘોગની લડતમાં સ્વયંભુ રીતે અપાયેલા મોરબી બંધને જબરો પ્રતિસાદ મળ્યો છે. મોરબી શહેરની તમામ મુખ્ય બજારો સંપુર્ણ બંધ રહી હતી. જયારે ખાનગી શાળા - કોલેજો પણ બંધમાં જોડાયા હતા. મોરબી સ્વયંભુ રીતે પ્રથમ વખત અભુતપુર્વ બંધ જોવા મળ્યો હતો. જયારે બંધ મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો રકતદાન કરવા ઉમટી પડયા હતા.
મોરબી સિરામીક ઉઘોગ છેલ્લા 13 દિવસથી સંપુર્ણ ઠપ્પ છે. નેચરલ ગેસના ભાવો વેટ એકસાઈઝ ઘટાડવા માટે તેમજ એન્ટી ડમ્પીંગ ડયુંટી અને કોલ ગેસીફાયરની મંજુરીની માંગ સાથે સિરામીક ઉઘોગે શરૂ કરેલું આંદોલન ઉગ્ર બનતું જાય છે. આજે સિરામીકની લડતના ટેકામાં અપાયેલા બંધને અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો છે અને મોરબી બંધમાં નાના વેપારીઓથી મોટી શાળા - કોલેજો જોડાયા છે. જયારે મોરબી બંધની સાથે સિરામીક ઉઘોગ દ્રારા મહા રકતદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. જેમાં રેકોર્ડ બ્રેક પ000 રકત બોટલો એકઠી કરવાનો ટાર્ગેટ રખાયો છે. સિરામીક એસોસીએશને બંધને સફળ ગણાવી મોરબીવાસીઓનો આભાર માન્યો હતો.
મોરબી બંધની સાથે સિરામીક ઉઘોગ દ્રારા રકતદાન કેમ્પમાં મોટીસંખ્યામાં યુવાનો ઉમટી પડયા છે. રકતદાન કેમ્પ પાછળ આંદોલનની સાથે સેવાકીય પ્રવૃતિને વેગ મળે અને સિરામીક ઉઘોગ સમાજની સાથે છે તેવો મેસેજ આપવાનો તેમજ આ રકતદાન કેમ્પના માધ્યમથી આંદોલનમાં લોહી રેડી સરકારને જાગૃત કરવાનો હેતુ છે.
મોરબી બંધના એલાનને મોરબીના વેપારીઓ અને શૈક્ષણીક સંસ્થાના ટેકાની સાથે કોંગ્રેસ દ્રારા પણ ટેકો જાહેર કરાયો છે. મોરબીના અભુતપુર્વ બંધને કોંગ્રેસે રાજય સરકાર દ્રારા મોરબી ઉદ્યોગને કરાતા અન્યાયનો પડઘો ગણાવ્યો હતો અને તાકિદે સિરામીકના પ્રશ્નોના ઉકેલની માંગણી કરી હતી.
મોરબી સિરામીકની લડતના ટેકામાં મોરબીવાસીઓએ સજજડ બંધ પાડતા સિરામીકના આંદોલનમાં નવો જોમ અને જુસ્સે ઉમરાયો છે. ત્યારે સિરામીક એસોસીએશને તેમની માંગણીના અનુસંધાને સરકાર સાથે મંત્રણા ચાલું હોવાનું અને ટુંકસમયમાં ઉકેલ આપવાની આશા વ્યકત કરી છે. મોરબી સિરામીક ઉઘોગનું આંદોલન દિન - પ્રતિદિન ઉગ્ર બની રહયું છે. મોરબીવાસીઓ સ્વયંભુ બંધ પાડી સરકારને સ્પષ્ટ કરી દીધું છે. સિરામીક ઉઘોગની લડતને આમ જનતાનો પણ ટેકો છે. ત્યારે સિરામીક ઉઘોગના આંદોલન બાબતે સરકાર કેવો રૂખ અપનાવે છે. તેના પર સૌની નજર મંડાયેલી છે.