"આજે ગુજરાત" કાર્યક્રમ વીટીવી ગુજરાતી એચડીમાં સવારે 8 થી 8.30 કલાક દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવે છે તેનો આપ લાહવો લેતા હશો જો કોઇ કારણોસર આપને આ કાર્યક્ર્મ જોવાનું રહી જાય તો અહીં આ કાર્યક્રમની સંપુર્ણ વિગત અમે અહીં રજૂ કરી છે...
અમદાવાદ ખાતે બળાત્કાર મામલે સજા આપવાના મુદ્દા પર લોકરક્ષક સેવા સમિતિ અને મહિલા સુરક્ષા સમિતિ દ્રારા જન અભિપ્રાય અને પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 11:30 કલાકે બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેકસ ખાતે યોજાશે.આ કાયૅક્રમમા 200થી વધુ સંખ્યામા મહિલાઓ જોડાશે.
પાલનપુરના હાથીદરા ગામે આવેલ હરગંગેશ્ર્વર મહાદેવ મંદિરમાં શ્રીરામ દરબાર લક્ષ્મીનારાયણ રાધાકૃષ્ણ અને જલારામબાપાની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે સવારે 9 વાગ્યે ભુપેદ્ર પંડયાની વ્યાસપીઠ ખાતે યોજાશે.
થરાદમાં રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઔઘોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે..જે સવારે 10 વાગ્યે ગાયત્રી વિધાલય ખાતે યોજાશે. જેમાં ધોરણ 8 9 10 સુધી અભ્યાસ કરેલા યુવાનોની વિવિઘ કંપનીમાં નોકરી માટે પસંદગી કરવામાં આવશે.
મુખ્યમંત્રી નરેદ્રભાઈ મોદી તેમની ડીસા ખેડૂત સભા પહેલા આજે સવારે 9 વાગ્યે અંબાજી ખાતે માતાજીની પુજા અર્ચના કરશે. અને ત્યાર બાદ અંબાજી મંદીર ખાતે જ વિકાસ યોજનાની માહિતી મેળવશે.
જામનગર ખેલ મહાકુંભ અંર્તગત જિલ્લા કક્ષાની બહેનો માટે કબડ્ડી ર્સ્પધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા હિરપરા કન્યા છાત્રાલય કાલાવડ ખાતે યોજાશે
અમરેલીના અમરાપુર ખાતે મહાન સંત પ.પુ.શ્રી મુકતાનંદ સ્વામીના ભવ્ય શતાબ્દિ મહોત્સવ ચાલી રહયો છે.જે અંતર્ગત આજે રાત્રે પરમભાઈ વનકાળી તથા સાથી કલાકાર દ્વારા હાસ્ય દરબાર યોજાશે.
સાબરકાંઠાના હિમતનગર ખાતે આવેલ નવનિર્મીત સ્વામી નારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રમુખ સ્વામીના 93 મા જન્મ દિવસ નિમીતે ધૂનનું આયેજન કરવામાં આવ્યું છે. આ ધૂન સવારે યોજાશે
સાબરકાંઠાના હિમતનગર ખાતે આવેલ નવનિર્મીત સ્વામી નારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે..આ શોભાયાત્રા કાકણોલ હાઇવે પાસે ભગવાન સ્વામીનારાયણ મંદીરેથી બપોરે 3 વાગ્યે નિકળશે..જેમાં હજારોની સંખ્યામાં હરી ભકતો જોડાશે.
સાબરકાઠાના હિમતનગર શહેરમા આાબેડકર ભવન નુ કામકાજ મંદ ગતીએ ચાલુ હોવાથી દલીત શેના ભાજપ અનુસુચીત જાતી મરચો અને વાલ્મીકિ સમાજ ધ્વારા કામ જડપથી પુકરવામા આવે તે અંગે કલેકટરનેબપોરે આવેદન પત્ર આપશે
સુરેદ્રનગરના પાટડી ખાતે આજે પાટડી પોલીસ દ્વારા સુરક્ષા સેતુ પ્રોજેકેટ અંતર્ગત મહિલાઓને સ્વ બચાવ માટે જુડો - કરાટેનું 10 દિવસીય તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જે પાટડીના શ્રી સુરજ્માંલજી હાઇસ્કૂલ ખાતે યોજાશએ. જેના ઉદ્ઘાટન પ્રસંગે સુરેદ્રનગરના પોલીસ વડા ડી. એન. પટેલ ઉપસ્થિત રહેશે.
આજે ધ ઇન્સ્ટયૂટ ઓફ કોસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્રારા એક પત્રકાર પરિષદનુ આયોજન કરવામા આવ્યુ છે..કેદ્ર સરકારના ઔધોગિક વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવેલા ઓડિતરુલ 2013 વિશે પત્રકારોને સંબોધશે.
ભાવનગરમા સુરક્ષા સેતુ અન્વયે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા માનવ અધિકાર વિશે ચર્ચા કરવામાં આવશે.જે સવારે 10 વાગ્યે યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાશે.
સોનગઢમાં નવનિર્મીત દેરાસરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે અભિનેત્રી હેમામાલીની હાજરી આપશે. તેમજ આ પ્રસંગે નૃત્યનો કાર્યકમ પણ યોજાશે.
આજે નાગરીક સ્વાતંત્ર્ય સંગઠન દ્વારા એકપ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાંઆવ્યુ છે.સવારે 11 કલાકે પાલડીના મહેદીંનવાઝ જંગ હોલ ખાતે યોજાનારીકોન્ફરન્સમાં ભારતની ચુંટણીમાંવપરાતા ઇવીએમની તજજ્ઞો દ્વારા થયેલીવૈજ્ઞાનીક તપાસનો અહેવાલ રજુકરવામાં આવશે.ઇજનેરો પાવર પોઇન્ટપ્રેઝન્ટેશનથી કઇ રીતે ઇવીએમમાં ચેડાકરી શકે છે તે પત્રકાર પરિષદમા સમજાવાશે.
આજે માનવ અધિકાર દિન નિમિત્તે અમદાવાદના રૂપાલી સિનેમા નજીક સરદાર બાગ ખાતે જન જાગૃતિ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.જન જાગૃતિ ધરણાં બપોરે 2 વાગ્યે શરૂ થશે.જેમાં અગ્રણી નાગરીકો અને સંસ્થાઓ જોડાશે
વડોદરા શહેરના અન્ના હજારેનાં સમર્થકો અન્નના સમર્થનમાં આજે આંદોલન શરુ કરશે..જે આજે સવારે 9:30 વાગ્યે વડોદરના ગાંધીનગર ગૃહ ખાતે અન્ના હજારેનાં સમર્થકો ઉપવાસ આંદોલન પર બેસવાના છે.
અમદાવાદ ખાતે માનવ અધિકાર દિવસની ઉજવણી સદભે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અને નિરમા યુનિવસીટી દ્રારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે..જે સવારે 10.30 કલાકે સોલા ખાતે નિરમા યુનિવસીટી હોલ ખાતે યોજાશે.
રાજકોટના ભુપેદ્ર રોડ પર આવેલા સ્વામીનાયણ મંદીર પાટોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ છે. સવારે દસ વાગ્યાથી 61 મા પાટોત્સવ ભવ્યતીભવ્ય પ્રારંભ થશે.સાજે બાલાજી મંદીર ખાતે જળયાત્રા આ સિવાય સંતો મહંતોની હાજરમા દીવસ દરમીયાન અનેક કાયૅક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે.
રાજકોટ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજય સરકારની તમામ કચેરીઓ અને જુદી જુદી સંસ્થાઓ દ્રારા માનવ અધિકાર દીવસની ઉજવણી કરવામા આવશે.જે બપોરે 11 વાગ્યે તમામ કમૅચારીઓ અને અધીકારીઓ માનવ અધીકાર દીવસ નીમીતે શપથ લેશે.
ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ઓલ ઈન્ડિયા મેજર પોર્ટ કલ્ચરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે..જે બપોરે 2:30 કલાકે ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાશે..જેમાં દેશના મેજર પોર્ટના કામદારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.
જૂનાગઢ ખાતે પોલીસ પરેડ ગાઉન્ડ પોલીસ હેડ કવાટર્સ ખાતે જુના ભંગારના જથ્થાની જાહેર હરાજી કરવામા આવશે..જે સવારે 10 વાગ્યે જાહેર હરરાજી શરૂ થશે. આ હરરાજીમાં ભાગ લેનારને 25000 ડીપોઝિટ પેટે રકમ જમા કરાવવાની રહેશે.
પ્રથમ જયોતીલીંગ સોમનાથ મહાદેવ મંદિરની ભૂમિ ખાતે તેમજ ત્રિવેણી રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે.. જેમા સવારે 9 વાગ્યે પોથી યાત્રા ધામધુમપુર્વક કાઢવામા આવશે.
જુનાગઢ જવાહરરોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી દિવસોમાં ભાગવત સપ્તાહ સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં છે. જે સદર્ભે આજે સ્વામીનારાયણ મંદિર ખાતે સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરંશનુ આયોજન કરવામાં આવ્યુ છે.
જૂનાગઢમાં ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ઓનલાઇન આગામી 26 ડીસેમ્બરે યોજાશે..જે સંદર્ભે ગ્રામ્ય પંથકમાં રેહતા લોકોએ તેમના પ્રશ્ર્નો તલાટી મંત્રીને રજુ કરવાનો આજે છેલ્લો દિવસ તેમજ તાલુકા કક્ષાના પ્રશ્ર્નો મામલતદાર અને જિલ્લાકક્ષાના પ્રશ્ર્નો કલેકટરને રજુ કરવાનો આજે છેલ્લો દિવસ છે.
નાતાલના તેહેવારને ધ્યાને રાખી જૂનાગઢ કલેકટર સંજય મોદીએ વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતૂથી જિલ્લાભરમાં હથિયાર બંધીના આદેશ આપ્યા છે. જે 5 જાન્યુઆરી સુધી જુનાગઢ જિલ્લામાં હથિયાર બંધિના આદેશ આપ્યા છે.
નર્મદાના કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે..જેમાં કલેકટર દ્રારા લોકો તંત્રને મોબાઇલ ફોન દ્રારા તત્કાલ કોઇપણ જાતની ફરીયાદ એક માત્ર એસએમએસ દ્રારા જ કરી શકે તે માટેનું ખાસ સોફ્ટવેર વિકસાવવામા આવ્યું છે..જેમાં આ સોફ્ટવેરની સમજ આપવા અને તે અંગેના પ્રચાર પ્રસાર માટેની ચર્ચા કરવામાં આવશે.જે 11-30 કલાકે કલેકટર કચેરી ખાતે યોજાશે.
ચોટીલા તાલુકાનાં 11 ગામોમાં આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે..આ સભા 4 વાગ્યે તાલુકા પંચાયત દ્વારા યોજાશે.જેમાં વિકાસ અભિયાન અંતર્ગત તાલુકાનાં પીપળીયા(દ્યાદ્યલ) નાળીયેરી મેવાસા(સે) નાનીમોલડી લોમાકોટડી બામણબોર ભીમગઢ રાવરાણી રેશમીયા લાખામાચી અને ઉડવી મળી 11 ગામોમાં ગ્રામ સભાઓ યોજનાર છે. આ ગ્રામ સભામાં તાલુકા કક્ષાના અદ્યિકારીઓ સાથે તલાટીઓ અને પંચાયતનાં ચુટાયેલ હોદેદારો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહી પોતાના ગામોની અંદર જરૂરી વિભાગ કક્ષાનાં માળખાકિય કામો માટે આયોજન કરશે.
મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આજે સોશ્યલ મીડીયા પર વિસનગરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છ..જે સવારે 9: 30 કલાકે શહેરનાં સવાલા દરવાજા બસ સ્ટેન્ડ નજીક આવેલી શારદા કોલેજ ખાતે યોજાશે..આ વર્કશોપમાં પ્રદેશ ભાજપનાં નિષ્ણાંતો સ્થાનિક કાર્યકરોને માર્ગદર્શન આપશે.
દાદરાનગર હવેલીના સિલ્વાસા ખાતે આજે ડોકટરી આવાસના શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંછે..જે બપોરે 1 વાગ્યે યોજાશે.. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રશાસક ભૂપેદ્ર ભલ્લાના હસ્તે ભૂમી પૂજન કરાશે..તેમજ પ્રદેશના સાંસદ નટુભાઇ પટેલ તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશ
દાદરા નગર હવેલીના સીલી વિસ્તારમાં આવેલ સીલી બ્રીજના શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. જે સવારે 11 વાગ્યે યોજાશે..જેમાં પ્રદેશના પ્રશાસક ભૂપેદ્ર ભલ્લાના હસ્તે ભૂમી પૂજન કરાશે. તેમજ 11.30 વાગ્યે ઉમરકુંઇ બ્રીજ તેમજ 12 વાગ્યે ફલાન્ડી બ્રીજનું ખાતમૂર્હત પણ પ્રશાસક દ્વારા કરવામાં આવશે.તેમજ પ્રદેશના સાંસદ નટુભાઇ પટેલ તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
ભરૂચ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ દ્વારા માનવ અધીકારની માહિતિ આપવા એક સેમીનાર યોજાશે. સાંજે 4 થી 5 કલાકે ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં લો કોલેજના આચાર્ય પોતાનું વક્તવ્ય રજૂ કરશે. તેમજ જિલ્લાના સરકારી વકીલ પી.એન.પરમાર પણ ખાસ હાજરી આપશે. આ પ્રસંગે 300 થી વધુ લોકો આ સેમીનારનો લાભ લેશે. તેમજ પોલીસ અધીકારીઓ તેમજ પોલીસ સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.