આધુનિક અને મોઘીદાટ બાઈકો લઈને ધૂમ સ્ટાઈલથી ગુનો આચરતા ગુનેગારોને પકડવામાં પોલીસ નિષ્ફળ રહેતી હોય છે.. કારણ કે શહેરની સુરક્ષા માટે પોલીસને આપવામાં આવેલી બાઈકો જ ભંગાર થઈ ગઈ છે.. જેના પરિણામે પોલીસ ગુનેગારો સામે નિક્રીય બની ગઈ છે.
અમદાવાદ પોલીસ હેડ કવાટર્સમા આવેલા મોટર ટ્રાન્સ્પોર્ટ વિભાગમા મોટી સંખ્યામા સરકારી વાહનો ભંગાર હાલતમા પડેલા છે.. શહેરમા જયારે ગુનાગોરો ધૂમ સ્ટાઈલથી ચેઈન સ્નેચીંગ અને ચીલ{ડપ કરીને ફરાર થઈ જતા હોય છે હતા ત્યારે આવા ગુનેગારોને પકડવા માટે ગુજરાત પાલીસને સફેદ કલરના પ્લસર બાઈકો ફાળવવામા આવ્યા હતા... જેમા 238 સરકારી વાહનો બગડેલી હાલતમા મોટર ટ્રાન્સ્પોર્ટ વિભાગમાં પડયા છે.. જયારે અનેક વાહનો પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહ્યા છે..આ વાહનોને 50 જેટલા મિકેનીક એન્જીનીયર રીપેર કરી રહયા છે.. પણ વાહનોની રિપેશરગની સંખ્યા કરતા બગડવાની સંખ્યા વધી રહી છે..
અમદાવાદ શહેરમાં દરેક પોલીસ સ્ટેશન અને ટ્રાફીક પોલીસને પેટ્રોલીંગ માટે વાહનો ફાળવ્યા હતા.. જેમાના મોટી ભાગના વાહનો બગડી ગયા છે... બગડેલા વાહનોની પોલીસ સ્ટેશનવાર વિગતો પર નજર કરીએ તો... વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને 14 વાહનો ફાળવવામાં આવ્યા હતા જેમાના 10 વાહનો બગડી ગયા છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનને 13 વાહનો ફાળવવામાં આવ્યા હતા જેમાંના 8 વાહનોની હાલત ખસતા છે. સોલા પોલીસ સ્ટેશનને 23 વાહનો ફાળવાયા હતા જેમાંથી 12 વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. સાબરમતી પોલીસ સ્ટેશનને 9 વાહનો ફાળવાયા હતા જેમાંથી 6 વાહનો બગડી ગયા છે. એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં 11 વાહનો ફાળવવામાં આવ્યા હતા જેમાંથી 3 વાહનો રિપેશરગમાં છે. ખાડિયા પોલીસ સ્ટેશનને અપાયેલા 7માંથી 6 વાહનો બગડી ગયા છે તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 11માંથી 4 રામોલ પોલીસ સ્ટેશનને અપાયેલા 10માંથી 5 અને વટવા પોલીસ સ્ટેશનને અપાયેલા 16માંથી 13 વાહનો બગડી ગયા છે.
શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનમાં વાહનોની હાલત કફોડી છે ત્યારે પોલીસ કમિશનર શિવાનંદ ઝા પેટ્રોલિંગની કડક સૂચનાઓ આપી પોલીસ કર્મચારીઓ પર દબાણ લાવી રહ્યા છે... જેના કારણે પોલીસ કર્મચારીઓની હાલત કફોડી બની છે.શહેરની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વાહનો વગર ઝઝૂમી રહ્યા છે.. શહેરમા ગુનાખોરી વધી રહી છે અને પોલીસ ગુનેગારોને પકડી શકતી નથી.. ત્યારે આ ભંગાર વાહનો જ પોલીસની નિક્રિયતાનું પ્રમાણપત્ર બની ગયા છે..