પાટડીમાં સરકારી જગ્યામાં છેલ્લા 8 વર્ષથી રહેતા 60 હિજરતી પરિવારો પોતાના અસતિત્વને લઇને ઝઝૂમી રહ્યાં છે...આ પરિવારોને રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડ માટે અત્યાર સુધી ધરમધકકા ખાવા સિવાય કંઇ જ મળ્યુ નથી...જયારે હવે તો તેઓ જે જગ્યા એ રહે છે તે જગ્યા આઇટીઆઇ કોલેજ માટે ફાળવી દેવાઇ છે ..જેના કારણે આ પરિવારોનો કામચલાઉ આશરો પણ છીનવાઇ રહ્યો છે.
પાટડીમાં સરકારી જમીનમાં છેલ્લા 8 વર્ષથી રહેતા 60 પરિવારો...જેઓ ઝીન્ઝુવાડા ગામના વતની છે.. જોકે ઝયજુવાડા ગામમાં અમૂક વગદાર લોકોની કનડગતથી આ પરિવારો હિજરત કરી ને અહીં આવી ગયા હતા..નાછુટકે આ પરિવારોને સરકારી જમીનમાં ઝુંપડા બાંધી ને રહેવુ પડે છે...આ લોકો ખારાઘોડામાં મીઠાના અગરમાં કામ કરી ગુજરાન ચલાવે છે... તેઓની પાસે ઝીન્ઝુવાડાનુ જ રેશનકાર્ડ અને ચુટણીકાર્ડ છે. તેઓ પાટડીનુ રેશનકાર્ડ અને ચૂટણી કાર્ડ કઢાવવા સરકારી કચેરીના ધકકા ખાઇને કંટાડી ગયા છે.વધુમાં તેઓ હાલ જે જગ્યા પર રહે છે તે જગ્યા સરકાર દ્વારા આઇટીઆઇ કોલેજને ફાળવી દેવાઇ છે...અને આ પરિવારનો આશરો પણ છીનવાઇ રહ્યો છે.
60 પરિવારો કોઇપણ ભોગે ઝુંપડા હટાવવા તૈયાર નથી...આ પરિવારો તેમના માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા અને રેશનકાર્ડ-ચૂંટણીકાર્ડ આપવા માગ કરી છે...આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે ઘટતુ કરવાની ખાતરી આપી છે.હાલ તો તંત્ર સબસલામત હોવાનું ગાણું ગાય છે..પરંતુ આ પરિવારોને તંત્ર પર વિશ્વાસ નથી..અને જ્યાં સુધી તેમના હાથમાં રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડ નહી આવે ત્યાંસુધી અહીંથી હટવા તૈયાર નથી તેમ જણાવ્યું છે...