લાલ કૃષ્ણ અડવાણી જેમને મોદીનો વિકલ્પ ગણે છે એવા ખેડૂતપુત્ર કબ્બડીના ખેલાડી અને તત્વજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારા શિવરાજસિંહ અત્યારે ભલે મધ્ય પ્રદેશની રાજનીતિની મુખ્ય ધરી ગણાતા હોય. એક સમયે તેઓ પોતાના ગામમાં મીઠાની બોરીઓ પર ઊભા રહીને ભાષણ કરતા. ભાજપને મધ્ય પ્રદેશમાં સતત બે વખત જીત અપાવીને મુખ્યમંત્રીની ગાદી પર બિરાજતા શિવરાજ
આ વખતે વિદિશા અને બુધની એમ એક સાથે બે બેઠકો પરથી ચૂંટણી લડયા છે. તો મતદાન પછીના સર્વે જેમને મધ્ય પ્રદેશની રાજનીતિના હેટટ્રિક ખેલાડી ગણાવે છે એવા શિવરાજસિંહને જરા વધુ નજીકથી જાણીએ.
શિવરાજસિંહ ચૌહાણ... આઠ વર્ષથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદે આસિન હોવા છતાં હજુ તેમની તાસિર મુખ્યમંત્રી જેવી નથી બની શકી. મધ્યમવર્ગીય પરિવાર જેવી તેમની રહેણી -કરણી.. તેમની ખૂબી રહી છે. શિવરાજસિંહની સૌથી મોટી તાકાત રહી છે તેમનું મૌન. ખેડૂત પરિવારમાંથી આવતા શિવરાજસિંહ ચૌહાણ દર્શનશાસ્ત્રમાં MA છે. અને તે પણ સુવર્ણચંદ્રક વિજેતા. જો કે તેમનું રાજકીય દર્શન છે... `ન કાહૂ સે દોસ્તી... ન કાહૂ સે બૈર.' લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે શિવરાજસિંહ ચૌહાણને નરેન્દ્ર મોદીના વિકલ્પ રુપે પેશ કરવાની કોશિશ કરી તો શિવરાજસિંહ ચૌહાણ સહજતાથી દૂર ખસી ગયા. પણ તેમણે ધીરે ધીરે એ તમામ કોશિશો ચાલુ રાખી. કે જેથી લોકો તેમની તુલના નરેન્દ્ર મોદી સાથે કરવા માટે મજબૂર બને. તેમણે ચૂંટણી યાત્રા શરુ કરી. તો પોસ્ટરો પર કેવળ તેમની જ તસવીર હતી. મોદીની નહીં. ઈદના મોકે મુસલમાનોને મુબારકબાદી પાઠવી અને ઠીક એવી જ ટોપી પહેરી. જેને પહેરવાનો મોદીએ ઇનકાર કર્યો હતો. મુખ્યમંત્રીઓના સંમેલનમાં તેઓ નીતિશ કુમારને પ્રેમથી મળતા રહ્યા. મોદી હંમેશાં રાહુલ ગાંધીને શહેજાદાના વિશેષણથી સંબોધે છે. પણ શિવરાજસિંહે ક્યારેય રાહુલ ગાંધી માટે આ શબ્દનો પ્રયોગ નથી કર્યો. જો કે તેઓ મોદીની પ્રશંસા કરતા રહ્યા અને તેમનામાં વિશ્વાસ જતાવતા રહ્યા. મોદીની જેમ શિવરાજસિંહ ચૌહાણ પણ સામાન્ય પરિવારમાંથી આવે છે. પરંતુ તેઓ પોતાની ગરીબીના કિસ્સાઓ નથી સંભળાવતા. પોતાના ગામમાં મીઠાની બે બોરીઓ પર ઉભા રહીને ભાષણ આપનારા શિવરાજસિંહ ચૌહાણ. આજે મધ્ય પ્રદેશમાં લાખો લોકોની રેલીઓમાં એ જ અંદાજથી ભાષણ કરે છે. 1990માં પહેલી વખત શિવરાજસિંહ ચૌહાણ બુધની વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. આગલા જ વર્ષે વિદિશા લોકસભા બેઠક પરથી તેમને પાર્ટીએ ટિકિટ આપી અને સતત પાંચ વખત તેઓ સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા. આ પહેલાં વિદિશા બેઠક પરથી અટલ બિહારી વાજપેયી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને વર્તમાનમાં વિદિશા બેઠક પરથી સુષમા સ્વરાજ સાંસદ છે. 2003માં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. પરંતુ એ વખતે શિવરાજ સિંહ ચૌહાણ રાઘૌગઢ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તેમને માત આપી હતી તત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે. જો કે 2005માં જ્યારે પાર્ટીએ તેમને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યુ. ત્યારે તેઓ બુધની બેઠક પરથી પેટા-ચૂંટણી લડીને જીત્યા હતા. આ વખતે શિવરાજસિંહ ચૌહાણે બુધની અને વિદિશા. એમ બે બેઠકો પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમના ધૈર્યની તાકાતને કારણે જ આજે મધ્ય પ્રદેશમાં પરિસ્થિતિ એ છે કે વાજપેયી અને ઉભા ભારતી જેવા નેતાઓના પ્રદેશમાં તેઓ પાર્ટીના એક માત્ર તારણહાર છે. ભાજપા કેવળ તેમના જ દમ પર રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. શિવરાજ પોતાનાં ભાષણોમાં મોદીની જેમ આક્રમક નથી બનતા. તેમની કોશિશ એ હોય છે તેમને સાંભળનારાઓ પોતાનામાંના જ એક ગણે નહીં કે કોઈ ચમત્કારિક તાકાતવાળા નાયક. મધ્ય પ્રદેશમાં બાળકીના જન્મ વખતે પૈસાવાળી તેમની `લાડલી લક્ષ્મી યોજના'થી લઈને લગ્ન માટેની `મુખ્યમંત્રી કન્યાદાન યોજના'ની વાતો તે ખૂબ કરે છે અને પોતાને પ્રદેશની બાળકીઓના મામા કહેતાં ખુશી અનુભવે છે.