57 વર્ષ પહેલાં 1 નવેમ્બર 1956ના રોજ મધ્ય પ્રદેશની રચના થઈ હતી. 57 વર્ષના રાજકીય ઇતિહાસમાં હંમેશાં રાજ્યની જનતાએ ખોબલે ખોબલે મત આપીને કોઈ એક જ પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી હતી. જેના કારણે મધ્ય પ્રદેશમાં 41 વર્ષ સુધી કોંગ્રેસ શાસન કર્યું અને ભાજપને 12 વર્ષ સત્તા પર રહેવા મળ્યું છે. તો નજર કરીએ મધ્ય પ્રદેશની રાજકીય સફર પર
મધ્ય પ્રદેશ... મુખ્યરૂપે આ રાજ્યમાં આજ દિન સુધી ફકત બે જ રાજકીય પાર્ટીઓનો દબદબો રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ. આ જ બંને પાર્ટીઓ મધ્યપ્રદેશમાં સત્તારુઢ થતી રહી છે. આ પ્રદેશમાં અત્યાર સુધી 13 વિધાનસભાઓનું ગઠન થયું છે.. જેમાં 4 વખત ભારતીય જનતા પાર્ટીને મોકો મળ્યો છે. પહેલી વખત 1977માં કટોકટી બાદ... બીજી વખત 1990માં જ્યારે કેદ્રની રાજનીતિમાં કા^ગ્રેસનો પ્રભાવ શરૂ થયો ત્યારે અને ત્રીજી વખત 2003માં.. જ્યારે એક સાથે અનેક રાજ્યોમાં કોંગ્રેસને શિકસ્ત મળી અને ચોથી વખત વર્ષ 2008માં શિવરાજશસહ ચૌહાણના નેતૃત્વમાં. શરુઆતની બંને ભાજપા સરકારો પોતાનો કાર્યકાળ પુરો કરી શકી નહોતી. 1977માં જનતા પાર્ટીની સરકાર હતી અને આ સરકાર 1980 સુધી ચાલી. બાદમાં જનતા પાર્ટી તૂટી ગઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત થઈ. પરંતુ ઇંદિરા ગાંધીની કેદ્રમાં વાપસીની સાથે જ 1980માં મધ્યપ્રદેશની સુંદરલાલ પટવાની આગેવાનીવાળી સરકારને બર્ખાસ્ત કરી દેવાઈ અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું. વર્ષ 1977થી 80ના ત્રણ વર્ષના આ ગાળામાં
કુલ 3 મુખ્યમંત્રીઓ આવ્યા... કૈલાશચંદ્ર જોશી.. વીરેદ્ર કુમાર સકલેચા અને સુંદરલાલ પટવા. બીજી વખત ભાજપની સરકાર વર્ષ 1990માં બની... પરંતુ હજુ તો 2 વર્ષ પૂર્ણ થયાં પણ નહોતાં.. ત્યાં તો 15 ડિસેમ્બર 1992ના એટલે કે 6 ડિસેમ્બર 1992ના બાબરી મસ્જિદ તોડી પડાયા બાદ.. આ સરકારને બર્ખાસ્ત કરી દેવામાં આવી. એ વખતે પણ મુખ્યમંત્રી હતા સુંદરલાલ પટવા. ત્રીજી વખત ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં એ વખતે જીત મળી.. જ્યારે રાજ્યમાં કા^ગ્રેસની દિગ્વિજય સરકાર પોતાના બે કાર્યકાળ પૂર્ણ કરી ચૂકી હતી.. અને કેદ્રમાં NDA સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરવા જઈ રહી હતી. તો અંતિમ અને ચોથી વખત ગત ચૂંટણીમાં ભાજપે શિવરાજશસહ ચૌહાણના નેતૃત્વમાં પુનઃ સત્તા કબજે કરી હતી. 2003ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ ઉમા ભારતી મુખ્યમંત્રી બન્યાં.. પણ એક જૂના મામલામાં એક વર્ષ બાદ તેમને રાજીનામું આપવું પડયું હતું અને બાબુલાલ ગોરને મુખ્યમંત્રી પદનો તાજ પહેરાવાયો હતો. જો કે એક વર્ષ રહીને ગોરના સ્થાને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીપદે શિવરાજશસહ ચૌહાણની તાજપોશી થઈ. 2008 બાદ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી શિવરાજશસહ ચૌહાણના નેતૃત્ત્વમાં ચૂંટણી લડવા જઈ રહી છે. ભલે છેલ્લા 1 દાયકાથી મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન રહ્યું હોય છતાં કહી શકાય કે મધ્ય પ્રદેશ કા^ગ્રેસના દબદબાવાળું રાજ્ય રહ્યું છે.. કારણ કે રાજ્યના 57 વર્ષના ઇતિહાસમાં ફ્કત 12 વર્ષ ભાજપનું શાસન રહ્યું છે.. જ્યારે 41 વર્ષ કા^ગ્રેસની સરકાર શાસન કરતી રહી છે. આ સિવાય 3 વર્ષ જનતા પાર્ટીનું શાસન રહ્યું અને 1 વર્ષ રાષ્ટ્રપતિ શાસન. વાત કરીએ મુખ્યમંત્રી પદ પર આસિન થનારાઓની... તો મધ્ય પ્રદેશના સૌથી પહેલા મુખ્યમંત્રી હતા પંડિત રવીશંકર શુ~લ બન્યા હતા. એમના પછી મુખ્યમંત્રીના રૂપમાં મોટા નેતાઓ આવ્યા.. જેમા સામેલ છે દ્વારકાપ્રસાદ મિશ્ર... પ્રકાશચંદ સેઠી.. અર્જુનશસહ... મોતીલાલ વોરા... દિગ્વિજયશસહ અને વર્તમાન મુખ્યમંત્રી શિવરાજશસહ ચૌહાણ. કુલ 13માંથી 9 વિધાનસભામાં જીત હાંસલ કરનારી કા^ગ્રેસ પણ મુખ્યમંત્રી બદલવામાં ભાજપથી પાછળ રહી નથી. કા^ગ્રેસે પોતાના શાસનમાં કુલ 21 મુખ્યમંત્રીઓને તાજ પહેરાવ્યા. જો કે આમાંથી ઘણા લોકો વારંવાર મુખ્યમંત્રી બનતા રહ્યા અને પદ પરથી હટતા રહ્યા. જેમ કે શ્યામાચરણ શુ~લ 1969થી 1989 સુધી ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા.. પરંતુ એક પણ વખત તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહ્યો નહીં. આ જ રીતે પ્રકાશચંદ સેઠી અને મોતીલાલ વોરા.. બબ્બે વખત મુખ્યમંત્રી બન્યા અને બંને વખત તેઓ પોતાનો કાર્યકાળ પુરો કરી શ~યા નહોતા. અર્જુનશસહ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા અને એક વખત પોતાનો કાર્યકાળ પૂર્ણ પણ કર્યો.. પરંતુ બીજા જ કાર્યકાળમાં તેઓ માત્ર એક જ દિવસ મુખ્યમંત્રી પદે રહ્યા અને બીજા દિવસે તેમનો મુખ્યમંત્રીનો તાજ ઉતારવો પડયો. જ્યારે ત્રીજી વખત એક વર્ષ કરતાં ઓછો સમય તેઓ પદ પર રહ્યા. આ રીતે જોઈએ તો દિગ્વિજયશસહ એક માત્ર અપવાદ છે.. જેમણે પાંચ - પાંચ વર્ષના બે કાર્યકાળ પુરા કર્યા. આમ તો મધ્ય પ્રદેશ વિજ્યારાજે સિંધિયા અને અટલબિહારી વાજપેયીનો પણ પ્રદેશ રહ્યો છે.. પરંતુ આ બંને નેતાઓએ રાજ્યની રાજનીતિના બદલે કેદ્રની રાજનીતિમાં મહત્વ આપ્યું. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ તો મધ્ય પ્રદેશની વિદિશા બેઠકની જગ્યાએ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠકને પોતાનું સ્થાયી ચૂંટણી ક્ષેત્ર બનાવ્યું હતું. વર્ષ 2000માં મધ્ય પ્રદેશનું વિભાજન થયું અને છત્તીસગઢ રાજ્ય રચાયું. રાજ્યમાં વિધાનસભાની 90 બેઠકો ઓછી થઈ અને આ રીતે મધ્ય પ્રદેશ વિધાનસભાની બેઠકો ઘટીને 230 થઈ. એ જ રીતે રાજ્યની 11 લોકસભા બેઠકો છત્તીસગઢના ફાળે જવાથી મધ્યપ્રદેશમાં લોકસભાની બેઠક 29 થઈ. આદિવાસીઓની મોટી આબાદી છત્તીસગઢના ભાગમાં જવાની સાથે સાથે નકસલ પ્રભાવિત વિસ્તાર પણ બસ્તરના રૂપમાં મધ્ય પ્રદેશમાંથી કપાઈ ગયો.