સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્માની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે....પોતાની વિરુદ્ધ દાખલ થયેલા પાંચ કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેમજ આ તમામ કેસને ગુજરાત બહાર ખસેડવામાં આવે તેવી માગ સાથે પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે....પ્રદીપ શર્માનો આક્ષેપ છે કે જાન્યુઆરી 2010થી તેમને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે અને તેમને ફસાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પ્રદીપ શર્માની દલીલ છે કે પોતે કુલદીપ શર્માના ભાઈ હોવાથી રાજ્ય સરકાર બદલાની ભાવના સાથે કામ કરી રહી છે...આ જ કારણે તેમની વિરુદ્ધ કેસ નોંધાયા છે..જો આ કેસ ગુજરાતમાં જ ચલાવાશે તો ન્યાયીક તપાસ થઈ શકશે નહીં તેથી તપાસને અન્ય રાજ્યમાં ખસેડવાની માગ સાથે પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.આ અરજી પર આજે સુનાવણી થશે..આ પહેલા સુપ્રીમ કોર્ટે આ કેસમાં મુખ્યમંત્રી નરેદ્ર મોદી ગુજરાત સરકાર અને CBIને નોટીસ પણ આપી હતી...