અમરનાથ દુર્ઘટનાને લઈ એક્ટિવ મોડમાં ગુજરાત સરકાર, જમ્મૂ કશ્મીરના સ્થાનિક તંત્ર સાથે પણ અધિકારીઓ સંપર્કમાં
અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટના
ગુજરાતના શ્રદ્વાળુઓ પણ અમરનાથ યાત્રા પર
કેટલાક શ્રદ્વાળુઓ ફસાયા હોવાની માહિતી આવી સામે
ઘટના બાદ રાજ્ય સરકાર એક્ટિવ, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં
અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટનામાં ગુજરાતના ગુજરાતના શ્રદ્ધાળો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. આ સાથે જમ્મૂ કશ્મીરના સ્થાનિક તંત્ર સાથે પણ અધિકારીઓ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત સરકાર એક્ટિવ મોડમાં
જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સાંજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાયા બાદ હવે ગુજરાત સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. સરકારે તાત્કાલિક અસરથી જમ્મૂ કશ્મીરના સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં રહી ફસાયેલા લોકોને બહાર નીકળવા કવાયત શરૂ કરી છે. આ સાથે રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.
J&K | Army personnel reach Nilgrar, Baltal to evacuate the affected in the aftermath of the cloudburst incident which was reported, early this morning pic.twitter.com/EL07NvzKsA
જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સાંજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગુફાની પાસ ભારે પાણીના વહેણમાં કેટલાય શ્રદ્ધાળુ તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. તો વળી 40 લોકો ગુમ થયા છે. કહેવાય છે કે, ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.
#WATCH | Rescue operation in progress in the cloudburst-affected areas in #Amarnath, J&K
ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. આ દરમ્યાન રસ્તામાં વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગરના ભાવિકો પણ છે. જેમાં જામનગરનું એક દંપતી દીપકભાઈ વિઠ્ઠલાણી અને તેમના પત્ની જાગૃતિબેન પણ ફસાતાં તેમના પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં. જો કે, રાહતની વાત એ છે કે, જામનગરના આ દંપતી હાલ અમરનાથની ગુફાથી ત્રણ કિ.મી દુર એક કેમ્પમાં આશ્રય સ્થાન મેળવ્યું છે.
શુ કહ્યું અમરનાથ યાત્રામાં ફસાયેલા દીપકભાઈ ?
આ અંગે દીપકભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું કે, તેઓ શુક્રવાર સવારે બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતાં. જ્યારે તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાંજ વાદળ ફાટયું હોવાના સમાચાર મળતાં યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી. સંગમ ઘાટી પાસે જ બધા યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કર્યું છે. જામનગરના લગભગ 20 જેટલા યાત્રાળુઓ પણ આ સમયે યાત્રામાં અટવાયેલા હોવાનું તેમણે ઉમેર્યું હતું.