અમદાવાદના નાગરિકોને શહેરમાં પરત આવવા માટે RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત રહેશે નહીં, પુરાવા તરીકે માત્ર આધારકાર્ડ બતાવવાનું રહેશે.
અમદાવાદીઓને શહેરમાં પરત આવવામાં મળી રાહત
અમદાવાદમાં પરત આવવા RT-PCR રિપોર્ટની જરૂર નહીં
પુરાવા તરીકે માત્ર આધારકાર્ડ બતાવવાનું રહેશે
અમદાવાદમાં રહેતા લોકો માટે મહત્વના અને રાહત આપનારા સમાચાર છે. અમદાવાદમાં વસતા હશે તે લોકોને બહારના રાજ્યોથી પરત ફરતી વખતે RT-PCR ટેસ્ટ બતાવવો ફરજિયાત નહીં રહે. અમદાવાદના વસવાટનું ઓળખપત્ર હશે તો તે માન્ય રહેશે. અમદાવાદના લોકોને રાહત આપતો આ નિર્ણય AMCએ કર્યો છે. અને જેનો 6 એપ્રિલથી અમલ શરૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં કોરોનાના કેસ વધતા બહારના રાજ્યોથી આવવા પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
Decided in consultation with Guj Govt that @AmdavadAMC citizens shall be exempt from requirement of RTPCR(-ve)certificate while returning by air,road&train.Aadhar card as residence proof to be shown.Rule will continue for outsiders coming to city.Detailed Press note being issued.
— Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) April 5, 2021
મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં ગુજરાત સરકારે કોરોના પર કાબૂ મેળવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે બહારના રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. એક એપ્રિલથી આ નિયમ અમલી બન્યો છે. એક એપ્રિલ બાદ અન્ય રાજ્યના મુસાફર રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં.
મહત્વનું છે કે, હોળીના સમયમાં લોકો પોતાના ઘરેથી પરત ગુજરાત આવવાની તૈયારી શરૂ થશે. 1 એપ્રિલથી જે લોકો ગુજરાતમાં આવશે. જે લોકો પાસે ટેસ્ટ રિપોર્ટ હશે તેમને જ એન્ટ્રી મળશે. ગુજરાતમાં એન્ટ્રી પહેલાના 72 કલાક સુધીનો RT-PCR નેગેટિવ રિપોર્ટ મંજૂર કરવામાં આવશે. જેમાં ખાસ રેલવે, હવાઈ કે, રોડ માર્ગથી જે લોકો ગુજરાત આવશે. તેમને આ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે 7 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમિતોની સારવાર માટે ઓકસિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટે નિર્ણય કરાયા છે. અને મુખ્યમંત્રી દ્વારા તાકીદે કામગીરી કરવા આદેશ પણ કરાયા છે.