આધાર સાથે લિંક ન હોય તેવા આઈડીવાળા યુઝર મહિનામાં 12 ટિકિટ બુક કરાવી શકશે
રેલવે મુસાફરો માટે એક મોટા સમાચાર છે. જો તમે ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરાવો છો, તો હવે તમને એક મહિનામાં વધુ ટિકિટ બુક કરવાની તક મળશે. વાસ્તવમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ યુઝર આઈડીથી વધુમાં વધુ 12 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 24 ટિકિટ કરી દીધી છે.
Indian Railways has decided to increase the limit of booking a maximum of 6 tickets in a month to 12 tickets by a user ID that is not Aadhaar linked & the limit of booking a maximum of 12 tickets in a month to 24 tickets by a user ID which is Aadhaar linked: Indian Railways pic.twitter.com/FFndQ03o8i
લિંક ન થયેલી યુઝર આઈડીથી મહિનામાં 6ને બદલે 12 ટિકિટ બુક કરાવી શકાશે
રેલવે મંત્રાલય દ્વારા 6 જૂનની રિલીઝ અનુસાર સોમવારે પોતાની વેબસાઈટ/એપ પર આધાર સાથે લિંક ન થયેલી યુઝર આઈડીથી એક મહિનામાં વધુમાં વધુ 6 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 12 ટિકિટ કરી દીધી છે. સાથે જ આધારથી લિંક આઈડી પર એક મહિનામાં વધુમાં વધુ 12 ટિકિટ બુક કરવાની મર્યાદા વધારીને 24 ટિકિટ કરી દેવામાં આવી છે.
People can now book 24 train tickets in a month on IRCTC website, app if their user ID is linked to Aadhaar, otherwise only 12 tickets can be bought. So far, IRCTC allowed people to book 6 tickets a month if the account is not connected to Aadhaar and 12 if it is linked
આધાર સાથે કેવી રીતે લિંક કરશો - જાણો
- સૌથી પહેલા તમારે IRCTCની ઓફિશિયલ ઇ-ટિકિટિંગ વેબસાઇટ irctc.co.in જવું પડશે.
આ પછી, તમારે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરવું પડશે.
- હવે તમારે હોમ પેજ પર 'માય એકાઉન્ટ સેક્શન' પર જઇને 'આધાર કેવાયસી' પર ક્લિક કરવાનું રહેશે.
- આ બાદ તમારે આધાર લિંકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આધાર લિંકના ઓપ્શન પર ક્લિક કરતા જ આધાર કાર્ડથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP દેખાશે.
- આ ઓટીપી દાખલ કરો અને તેની ચકાસણી કરો.
આ પછી, તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
- આધાર સાથે જોડાયેલી જાણકારી જોયા બાદ નીચે લખેલી 'વેરિફાય' પર ક્લિક કરો.
આ પછી, તમારા મોબાઇલ પર એક સંદેશ આવશે કે કેવાયસી વિગતો સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવી છે.