પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક સહિત 21 લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ લોકો સામે કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.
કેસ પરત ખેંચવા મુદ્દે સેશન્સ કોર્ટનો મોટો હુકમ
હાર્દિક પટેલ સહિત પાટીદારોને સેશન્સ કોર્ટની મોટી રાહત
હાર્દિક પટેલ સહિત 21 લોકોની સામે કેસ પરત ખેંચવા કોર્ટનો હુકમ
મળતી વિગત પ્રમાણે, આજે હાર્દિક સહિત 21 લોકો સામે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસને લઈને સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વધુ 2 આરોપીઓને લઈ સરકારે અરજી કરી હતી. જેને નામદાર સેશન્સ કોર્ટે રિવિઝન અરજી મંજૂર રાખી છે.
21 પાટીદારોને આપવામાં આવી રાહત
જણાવી દઇએ કે, આ કેસમાં હાર્દિક સહિત 19 આરોપીઓ ઉપરાંત સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં વધુ 2 આરોપીઓનો સમાવેશ છે. જેને લઈ હવે આ કેસમાં 21 આરોપીઓ સામે કેસની સુનાવણી કરવામાં આવેલી.જેને કોર્ટે મંજૂર રાખતા અનામત આંદોલન સાથે જોડાયેલા 21 લોકોને રાહત મળી છે.
શું હતો સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે, 20 માર્ચ 2017 ના દિવસે કોર્પોરેટર પરેશ પટેલે અમદાવાદના રામોલમાં નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના એ સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની પણ ફરિયાદ નોંધવામાં હતી અને જેનો કેસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. ત્યારે આ કેસ મામલે હાર્દિક પટેલ સહિત 21 લોકોની સામે કેસ પરત ખેંચવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.