રાજ્યમાં ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ એક દિવસમાં આટલા કેસ નોંધાયા, કોરોનામાં રિકવરી રેટ 98.73 ટકાએ પહોંચ્યો
કોરોનાથી આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં
રાજ્યમાં 24 કલાકમાં 61 દર્દી સ્વસ્થ થયા
રાજ્યમાં 5 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાની બીજી લહેરની મહામારીના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિકવરી રેટ પણ હવે 98.73 ટકાએ પહોંચી ગયો છે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટની રહ્યું છે ત્યારે આજે કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો વધારો થયો છે.
કોરોનાથી આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં
બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10 હજાર 76 લોકોને કોરોના ભરખી ગયો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 411 દર્દી સારવાર હેઠળ છે. જો કે નાજુક સ્થિતિના કારણે 5 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે જ્યારે 406 દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છે
રાજ્યમાં 24 કલાકમાં 61 દર્દી સ્વસ્થ થયા
રાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે...અમદાવાદમાં 6, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ નવા કેસ નોંધાયા છે...તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.