બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ બંધ થયું? કરોડોના ખર્ચે બની રહેલી મૂવી પર આવ્યું લેટસ્ટ અપડેટ

બોલિવૂડ / રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ બંધ થયું? કરોડોના ખર્ચે બની રહેલી મૂવી પર આવ્યું લેટસ્ટ અપડેટ

Last Updated: 07:37 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ 'રામાયણ'ને લઈને નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ ફિલ્મ વિશે અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે કેટલીક સમસ્યાઓના કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. પરંતુ હવે આ અંગે ફિલ્મના એક અભિનેતાનું નિવેદન સામે આવ્યું છે.

બોલિવૂડ જગતમાં છેલ્લા ઘણા સમયથી રામાયણ ફિલ્મને લઈને ખુબ જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે એકબાજુ આ ફિલ્મનું શૂટિંગ બંધ થવાના સમાચાર સામે આવી રહ્યા છે તો બીજી તરફ ફિલ્મના અભિનેતા આ વાતને ખોટી ગણાવી રહ્યા છે. રણબીર કપૂરની 'રામાયણ'ને નિતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મના કોપીરાઈટને લઈને કોઈ મુદ્દો હતો, જેના કારણે મેકર્સે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દીધું હતું. પરંતુ હવે આ અંગે ફિલ્મના એક અભિનેતાનું નિવેદન સામે આવ્યું છે.

ramayana.jpg

ફિલ્મના એક અભિનેતાએ કહ્યું, કોણ કહે છે કે શૂટિંગ બંધ થઈ ગયું છે? શૂટિંગ એક દિવસ માટે પણ બંધ કરવામાં આવ્યું ન હતું. પણ અત્યારે હું તમારી સાથે વાત કરું છું. ત્યારે પણ શૂટિંગ ચાલી રહ્યું છે. રણબીર કપૂર અને સાંઈ પલ્લવી અને અમે બધા શૂટિંગ કરી રહ્યા છીએ. આ ખોટી અફવાઓ કોણ ફેલાવે છે અને શા માટે, તેઓને તેમાંથી શું મળે છે? અહીં અમે કંઈક એવું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેનાથી આપણું નામ દુનિયાભરમાં જાણીતું થાય. અમારો પ્રચાર કરવાને બદલે દરરોજ ‘રામાયણ’ વિશે નવી નેગેટિવ સ્ટોરી બનાવવામાં આવે છે. આ સાથે જ્યારે મેકર્સે આ અફવાઓ પર કંઈ ન કહ્યું ત્યારે તે ગુસ્સે થતો જોવા મળ્યો હતો. કારણ કે અત્યાર સુધી આ અફવાઓને લઈને મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેણે કહ્યું, મને ખબર નથી કે તે આ પ્રોજેક્ટ વિશે આટલો શાંત કેમ છે. તેઓએ અત્યાર સુધીમાં પ્રોજેક્ટ અંગે થોડી સ્પષ્ટતા આપવી જોઈએ. તેમનું મૌન અફવાઓને જન્મ આપે છે.”

વધુ વાંચો : ક્રિકેટ રમતી જ્હાન્વીની નકલ ઉતારવા લાગ્યો રાજકુમાર, ચાલ પર પેટ પકડી હસી પડશો

રામાયણની સ્ટારકાસ્ટ

રણબીર કપૂર સાથે સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. KGF સ્ટાર યશ રાવણનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. આ સિવાય ફિલ્મમાં સની દેઓલ પણ જોવા મળી શકે છે, તે હનુમાનના રોલમાં જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan shooting RanbirKapoor actor SaiPallavi film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ