મુંબઈમાં કેટલાક સ્વાસ્થ્યકર્મીઓ, નેતાઓ અને તેમના સ્ટાફે ત્રીજો ડોઝ મેળવી લીધો છે.
મુંબઈમાં કેટલાક લોકોએ કોરોનાની રસીનો ત્રીજો ડોઝ મેળવી લીધો છે.
અલગ નંબરનો ઉપયોગ કરી ત્રીજો ડોઝ મેળવ્યો
ડોઝ આપતા પહેલા તેમનો એન્ટીબોર્ડી ટેસ્ટ કરવામાં આવ્યો
આ લોકોએ કોરોનાની રસીનો ત્રીજો ડોઝ મેળવી લીધો છે
દુનિયામાં કોરોનાની વિરુદ્ધ ત્રીજા ડોઝની લહેર પર ચર્ચા ચાલુ છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે મુંબઈમાં કેટલાક સ્વાસ્થ્યકર્મીઓ, નેતાઓ અને તેમના સ્ટાફે ત્રીજો ડોઝ મેળવી લીધો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ કેટલાક રાજનેતાઓ, સ્વાસ્થ્યકર્મીઓ અને તેમના સ્ટાફે કોરોનાની રસીનો ત્રીજો ડોઝ મેળવી લીધો છે. રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્યકર્મીઓએ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં Co-win પર રજિસ્ટ્રેશન અથવા અલગ નંબરનો ઉપયોગ કરી ત્રીજો ડોઝ મેળવ્યો છે. મનાઈ રહ્યું છે કે ડોઝ આપતા પહેલા તેમનો એન્ટીબોર્ડી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
બૂસ્ટર ડોઝ માટે કોવિશીલ્ડની પસંદગી કરવામાં આવી
રિપોર્ટમાં એક સીનિયર ફિજિશિયનના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે આ યાદીમાં ડોક્ટરનું નામ શામેલ છે. જેમને મુખ્ય રુપે ફેબ્રુઆરી સુધી બન્ને ડોઝ અપાયા હતા અને તપાસમાં એન્ટીબોડી સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સમાચાર અનુસાર યુવા રાજનેતા, તેમની પત્ની અને સ્ટાફના સભ્યોને બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યાનુસાર બૂસ્ટર ડોઝ માટે કોવિશીલ્ડની પસંદગી કરવામાં આવી છે.
રસી વાયલથી 11મો ડોઝ કાઢવામાં આવ્યો
તેમણે જણાવ્યું કે આ કામ માટે કેટલાક મામલામાં રસી વાયલથી 11મો ડોઝ કાઢવામાં આવ્યો છે. એક અન્ય હોસ્પિટલમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય મામલામાં ત્રીજો ડોઝ તે વાયલમાંથી મેળવવામાં આવ્યો છ. જેમાં કેટલાક ડોઝ બચ્યા હતા અને તેને મેળવવા માટે કોઈ નહોતુ. તેમણે કહ્યું કે સ્વાસ્થ્યકર્મીએ પોતાના સાથીઓની વચ્ચે બ્રેકથ્રૂ ઈન્ફેક્શન મામલા જોયા છે અને નવા વેરિએન્ટને લઈને ચિંતિત છે.
ત્રીજા ડોઝથી ગંભીર સમસ્યા થઈ શકે
બીજી તરફ Additional Chief Secretary (હેલ્થ) ડોક્ટર પ્રદીપ વ્યાસે આને ભરમાવનાર ઉત્સાહ ગણાવ્યો અને કહ્યું કે ત્રીજા ડોઝથી ગંભીર સમસ્યા થઈ શકે છે. એડિશનલ મ્યૂનિશિપલ કમિશનર સુરેશ કકાનીએ કહ્યું કે સાયન્ટિફિક રહો અને ભાવનાઓમાં ન વહો. શક્ય છે કે આ કામ માટે વાયલમાં સામેલ વધારાના ડોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ આના એક્સ્ટ્રા ડોઝનો ઉપયોગ કરી રહ્યું છે તો કોઈ રજિસ્ટ્રેશનની જરુર નથી. પરંતુ તેને મેળવનારા વ્યક્તિઓને મારો સવાલ છે કે તેમને કેવી રીતે ખબર કે આ ઉપયોગી છે.