ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટમાં વધતુ ઓમિક્રોનનું સંકટ
21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો
યુવતીને વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરાઇ
રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોધાતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોધાતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે.
ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બનનારની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી છે.
21 વર્ષીય યુવતીનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો. 21 તારીખે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રિપોર્ટ આવતા આઇસોલેટ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડી હતી. ઓમિક્રોન રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો. રાજકોટમાં કુલ 2 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા. અગાઉ આર.કે. યુનિવર્સિટીના તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બન્ને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં ગઈકાલે કોરોનાના 7 કેસો નોધાયા હતાં
રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ગઇકાલે કોરોનાના 7 કેસો નોંધાયા હતા. જેમાં વોર્ડ નં.9માં આવેલા ભીડભંજન મેઈન રોડ પર રહેતી 14 વર્ષીય સગીરા, શ્રોફ રોડ પર રહેતો અને હાલમાં જ ગોવાથી આવેલ 24 વર્ષીય યુવાન, વોકહાર્ટ હોસ્પિટલ સામેના વિસ્તારમાં રહેતા 41 વર્ષીય પુરૂષ, સોમનાથ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવાન, અમીન માર્ગ પર રહેતા 56 વર્ષીય પ્રૌઢ અને મવડી પ્લોટની સરદાર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય મહિલાનો કોરોનો પોઝીટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા સેમ્પલ લેવાયા છે, 14 વર્ષની સગીરાને બાદ કરતા બાકીના 6 દર્દીએ વેકસીનના બંને ડોઝ લીધા છે.
સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 98 કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.કોરોનાને માત આપીને 69 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા 694 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાને કારણે અમદાવાદ, જામનગર અને પોરબંદર જિલ્લા એકએક એટલે કે રાજ્યમાં વધુ 3 દર્દીઓનું મૃત્યુ થયુ છે.રાજ્યભરમાં અત્યાર સુધી 10,111 મૃત્યુ તો 8,18,198 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે