જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની વેબસાઈટ પર લિંક જાહેર કરી છે, વિદ્યાર્થીઓએ કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સિન મેળવી સુરક્ષિત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મનપાએ વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિન મેળવાની ખાસ સુવિધા કરી આપી છે.
રાજકોટ મનપાએ વેબસાઇટ જાહેર કરી
જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની વેબસાઈટ પર લિંક જાહેર કરી છે જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની એક લિંક જાહેર કરી છે જેના પર વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે.
રામનાથ પરા આરોગ્ય કેન્દ્રમાં વ્યવસ્થા
ત્યારબાદ સરકાર તરફથી આવતી ગાઈડલાઈન વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે. વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓએ કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. વિદેશ આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મહાનગરપાલિકાએ વેક્સિન લેવા રામનાથ પરા આરોગ્ય કેન્દ્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોનાના કેસમાં સતત ઘટાડો
કોરોના કેસમાં ઘટડો થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. ગઈ કાલે રાજકોટ શહેરમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3,635 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 637 સહિત કુલ 4,272 નાગરિકોએ રસી લીધી હતી. મહત્વનું છે કે રવિવારે રાજકોટ શહેર અને જિલ્લામાં 49 નવા કેસ નોંધાયા હતા, અને 24 કલાકમાં 3 દર્દીનાં મોત થયા હતા.
નવા કેસ સાથે 953 એક્ટિવ કેસ
આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, રવિવારે રાજકોટ શહેરમાં 27 અને જિલ્લામાં 22 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 57,064 લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને નવા કેસ સાથે 953 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,306 સેમ્પલ લેવાયા હતા. જેમાં શહેર જિલ્લામાં 49 કેસ પોઝિટિવ આવ્યા હતા.ગઇકાલે રવિવારે 16 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.