તારક મહેતા...માં છેલ્લા થોડા સમયમાં ઘણા ફેરફાર થયા છે. અંજલિ મહેતા અને રોશન સિંઘ સોઢી શૉ છોડીને ગયા અને તેમને નવા લોકોએ રિપ્લેસ કર્યા છે. ત્યારે નવી અંજલિને લઇને દર્શકો ગેલમાં આવી ગયા છે. નવી અંજલિ એટલે કે સુનયના ફોજદારનો અંજલિ તરીકેનો લૂક સામે આવ્યો છે.
સુનયના ફોજદાર અંજલિ મહેતાનું પાત્ર ભજવશે, ત્યારે સુનયનાએ જ આ તસવીર શૅર કરી અને લખ્યું કે દરેક આર્ટિસ્ટ દર્શકોનુ મનોરંજન કરવા માટે જ હોય છે. આ તસવીરમાં સુનયના શૈલેશ લોઢા સાથે રોમાન્ટિક પોઝ આપતા જોવા મળે છે.
આગળ અંજલિએ લખ્યુ છે કે, અંજલિના પાત્રમાં મારુ સ્વાગત કરો, દરેકના સપોર્ટની જરૂર છે. તારક મહેતા... સિવાય સુનયનાએ કબૂલ હે, લાગી તુજસે લગન, લેફ્ટ રાઇટ વગેરે સિરિયલમાં કામ કર્યુ છે.
એક ઇન્ટરવ્યૂમાં સુનયનાએ કહ્યું કે, અંજલિના પાત્રને પરદા પર લાવવા માટે એક અલગ પ્રેશર અને જવાબદારીનો અનુભવ કરી રહી છું. નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી શૉ સાથે જોડાયેલી છે તો સ્વાભાવિક વાત છે કે તેની એક ઇમેજ લોકો વચ્ચે બનેલી છે. તે ઇમેજમાં ફીટ બેસવાનુ પણ એક પ્રેશર છે. મેં બસ મારુ બેસ્ટ આપવાનુ વિચાર્યુ છે, જનતાને રિકવેસ્ટ કરીશ કે તે બસ એક તક આપે જેથી હું મારી જાતને સાબિત કરી શકું. હુ તાલી અને ગાલી બંને ખાવા તૈયાર છું.
નેહા મહેતાએ કે શૉ છોડ્યો?
મળતી માહિતી અનુસાર નેહા છેલ્લા 12 વર્ષથી આ શોનો એક ભાગ છે. સ્વાભાવિક છે કે તે સેટ પર તેની આસપાસના લોકો પાસેથી પોતાને માટે થોડા આદરની અપેક્ષા રાખે. જો કે, તે થયું નહીં. તેને નાની-નાની બાબતોમાં પરેશાન કરવામાં આવતી હતી. તે ઘણીવાર સેટ પર રડતી હતી.સેટ પર કેટલીક વખત આવી પરિસ્થિતિઓ ઉભી કરવામાં આવતી હતી જ્યાં તેઓ સાચા હોવા છતાં પણ ચુપ રહેવું પડતું. થોડા મહિના પહેલા મેકર્સ અને તેની વચ્ચે તકરાર થઈ હતી અને ત્યારબાદ મેકર્સે કહ્યું હતું કે જો તેઓ કામ કરવા માંગતા ન હોય તો તેઓ ખુશીથી છોડી શકે છે. પોતાનાં સન્માન માટે, નેહાએ શો છોડવાનો નિર્ણય લેવો પડ્યો.