સરકારી એરલાઇન એર ઈન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપનું નામ ફાયનલ થઈ ગયું હોવાના સમાચાર આવ્યા હતા પણ એ સંપૂર્ણ સાચા ન હોવાની માહિતી સરકાર દ્વારા આપવામાં આવી હતી.
સરકારનો ખુલાસો
સરકારી એરલાઇન એર ઈન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપનું નામ ફાયનલ થઈ ગયુ હોવાની જાહેરાત આવી હતી.
જે મીડિયા દ્વારા પણ છાપવામાં આવી હતી પણ આખરે હવે સેક્રેટરીએટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હજુ આ નિર્ણય વિશે સરકાર દ્વારા કોઈ જાહેરાત થઈ નથી અને જ્યારે જાહેરાત થશે ત્યારે જાણ કરવાંમાં આવશે.
ઉલ્લેખનીય છે કે સમાચાર આવ્યા હતા કે એર ઈન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા સમૂહ દ્વારા સૌથી વધુ બિડ લગાવવામાં આવી હતી.
શરૂઆત 1932માં ટાટા ગ્રુપ દ્વારા
AIR INDIAની શરૂઆત 1932માં ટાટા ગ્રુપ દ્વારા જ કરવામાં આવી હતી. ટાટા ગ્રુપના દિગ્ગજ જે.આર.ડી ટાટાએ તેની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1947 માં રાષ્ટીય જરૂરિયાત ઊભી થતાં સરકારે 49% હિસ્સો ખરીદી લીધો હતો.
ત્યાર બાદ 1953 માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કરીને મેજર હિસ્સો લઈ લીધો હતો અને સરકાર દ્વારા સંચાલન થતું હતું. અને હવે ફરી ટાટા ગ્રુપે જ તેની માલિકી મેળવી હોવાના સમાચાર આવી રહ્યા હતા પણ બાદમાં આ સમાચાર ખોટા હોવાની પુષ્ટિ સરકાર દ્વારા જ કરવામાં આવી હતી.
Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken: Secretary, Department of Investment and Public Asset Management, GoI pic.twitter.com/PoWk7UceF5
એર ઈન્ડિયા સર્વિસ શરૂઆતમાં સારી આપતી હતી પણ આખરે તે પ્રાઇવેટ એરલાઇન્સ સામે એર ઈન્ડિયા માર જીલી શકી નહોતી અને આખરે સરકારે તેને ખોટ કરવા કરતાં વેચવાની જરૂર ઊભી થઈ હતી.
2018 થી એર ઈન્ડિયા તેની 76% હિસ્સેદારી વેચવાની ટ્રાય કરી રહ્યું હતું અને હવે આખરે ડીલ પાર પડી હોવાના સમાચાર હાલ પૂરતા ખોટ હોવાની માહિતી સરકારે આપી હતી.
કોણ હતા હરીફો?
સ્પાઇસ જેટના અજય સિંહ પણ હરીફોમાં સામેલ હતા પણ આખરે એરલાઇન્સ મૂળ માલિક પાસે પરત ફરી હતી. આખરે 68 વર્ષ બાદ ફરી ટાટા માલિક બને તેવી અટકળો હતી. એરલાઇન્સ ઊભી કરવી એ રતન ટાટાનું પણ સપનું હતું અને હવે એ સિદ્ધ થાય તેવી શક્યતા છે.