જ્યારે સંબંધ તૂટે છે ત્યારે એ વ્યક્તિ એટલો જ દુઃખી થાય છે અને આવા જ બ્રેકઅપના દર્દમાંથી બહાર આવવા માટે લવ બેટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
લવ બેટર અભિયાન શરૂ કરવામાં આવ્યું
આ અભિયાનનું બજેટ 33 કરોડ રૂપિયા
લવ બેટર ઝુંબેશ શા માટે શરૂ કરી?
માણસોના ઇમોશન્સ એટલે કે તેની લાગણીઓ જ તેને અન્ય જીવોથી અલગ બનાવે છે. એવામાં પ્રેમ પણ આ લાગણીઓનો એક ભાગ છે. કોઈ માણસ જ્યારે પ્રેમ હોય છે ત્યારે વ્યક્તિ ખૂબ જ ખુશ થાય છે અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એ વ્યક્તિ એટલો જ દુઃખી થાય છે. આપણે બધા જાણીએ છીએ કે આ ઉદાસીને કારણે ઘણા લોકોના માનસિક સ્વાસ્થ્યને પણ અસર થાય છે અને આવા જ બ્રેકઅપના દર્દમાંથી બહાર આવવા માટે લવ બેટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાનનું બજેટ 33 કરોડ રૂપિયા
જણાવી દઈએ કે આ અભિયાનનું બજેટ 3 વર્ષમાં લગભગ 33 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે એટલે કે દર વર્ષે આ અભિયાન હેઠળ લગભગ 11 કરોડ રૂપિયા ખર્ચ થશે. નોંધનીય છે કે આ યોજના હાલમાં ન્યુઝીલેન્ડમાં શરૂ કરવામાં આવી રહી છે જેને ભારતીય મૂળના સહયોગી મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણન દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
શું છે આ યોજનાનો હેતુ?
એક રિપોર્ટ મુજબ આ યોજનાનો હેતુ બ્રેકઅપ પછી દુઃખમાં ગરકાવ થયેલ લોકોને આ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો છે. આ સિવાય પરિવારોમાં થતી હિંસા પર રોક લગાવવાનો છે. જણાવી દઈએ કે આ યોજના ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાઓને કહેવામાં આવશે કે બ્રેકઅપ પછી શું કરવું અને તેમનું માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે યોગ્ય રાખવું. આ અભિયાન દ્વારા લોકોને ઈમોશનલ ફલકચ્યુએશન સાથે ડીલ કરવાની ટિપ્સ જણાવવામાં આવશે.
લવ બેટર ઝુંબેશ શા માટે શરૂ કરી?
બુધવારે તેને લોન્ચ કરતાં પ્રિયંકા રાધાકૃષ્ણને કહ્યું હતું કે લવ બેટર ઝુંબેશ બ્રેકઅપ અથવા ઘરેલુ હિંસા જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા યુવાનોની માનસિક સ્થિતિને ઠીક કરવામાં મદદ કરશે. આ યોજનાનું ધ્યાન ક્રિએટિવ અભિગમ દ્વારા યુવાનોના ભવિષ્યને સુધારવા પર રહેશે.