દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીને લઇને હાહાકાર જોવા મળી રહ્યો છે. જેને લઇને દુનિયાભરના ઘણા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે દુનિયાભરની દેશોની અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઇ છે. એવામાં ન્યૂઝીલેંડના પ્રધાનંત્રી જેંકિડા અર્ડર્ન (Jacinda Ardern) દ્વારા ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને કર્મચારીઓના કામ અને જીવનને સંતુલિત બનાવી રાખવા માટે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનું સુચન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ રીતે લોકો ત્રણ દિવસ ફરવા નીકળશે અને અર્થવ્યવસ્થા મજબુત બનશે.
ફેસબુકમાં લાઇવ વીડિયો દ્વારા ન્યૂઝીલેંડના પીએમ અર્ડર્ને કહ્યું કે લોકોએ અર્થવ્યવસ્થા પાટા પર લાવવા માટે સ્થાનિક ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા પર સુચન આપવામાં આવ્યાં. લોકોને ફરવા જવા માટે રજા આપવામાં આવે.
ન્યૂઝીલેંડના પીએમએ માન્યુ કે જ્યાં સુધી વિદેશી નાગરિકોને દેશમાં આવવા પર પ્રતિબંધ લાગેલો છે ત્યાં સુધી સ્થાનિક ટુરીઝમને પ્રોત્સાહન આપવું જોઇએ. જેને લઇને દેશના નાગરિકોએ વધારેમાં વધારે સમય પોતાના પરિવાર સાથે ફરવા માટે આપવો જોઇએ.
જેકિંડા અર્ડર્ને કહ્યું કે કેટલાંક લોકોએ મને કહ્યું કે જો તેઓને પોતાના કામકાજના જીવનમાંથી થોડી રાહત મળે તો તેઓ સ્થાનિક ઘરેલુ પ્રવાસ કરી શકે છે. લોકડાઉનના કારણે ટૂરિઝમ ક્ષેત્રને ઘણુ નુકસાન થયું છે. અર્ડર્ને કહ્યું કે આપણે બધા કોવિડ-19થી ઘણુ શીખ્યાં છે.
ઘરમાંથી કામ કરવાની આદતે આપણા જીવનમાં ઘણો ફેરફારનું કામ કર્યું છે. મે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે 4 દિવસ જ કામ કરવાના નક્કી થવા જોઇએ. આ કંપની અને ત્યાંના કર્મચારીઓ વચ્ચેની વાત છે. પરંતુ પીએમ અર્ડર્ને કહ્યું કે કોઇ કંપની આવું કરે છે તો તેના પર વિચાર કરી શકાય છે.