ભારતીય વિદેશમંત્રી ન્યૂઝીલેન્ડ યાત્રા પર છે ત્યારે એસ જયશંકરે ન્યૂઝીલેન્ડની PM સાથે મૂલાકાત કરી હતી. મુલાકાત સમયનાં PMનાં વસ્ત્રો જોઇ ભારતીયો ઓળધોળ થઇ ગયાં. ટ્વીટર પર એક યૂઝરે તસવીર જોઇને લખ્યું કે પ્રધાનમંત્રી જેસિંડા, ગુલાબી ડ્રેસમાં અતિ સુંદર લાગી રહી છે."
ભારતીય વિદેશમંત્રી ન્યૂઝીલેન્ડ યાત્રા પર
ન્યૂઝીલેન્ડની PM એ પહેર્યાં ભારતીય પોશાક
ફોટો જોઇ ભારતીયો ઓળધોળ
ઑકલેન્ડ: વિદેશમંત્રી જયશંકરે બુધવારે ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને તે દરમિયાન બંને નેતાઓએ વ્યાપારિક સહયોગ વધારવા અને લોકો વચ્ચે આંતરિક સંપર્ક વધારવા માટેની ચર્ચાઓ કરી. આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી જેસિંડાએ ગુલાબી રંગના મનમોહક ભારતીય પોશાક પહેર્યો હતો. ગળામાં ચુંદડી રાખેલ જેસિંડા ખૂબ સુંદર લાગી રહી હતી.
પ્રધાનમંત્રીના રૂપે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય જનતા પ્રધાનમંત્રીને ભારતીય પોશાકમાં જોઇ ભાવવિભોર થઇ ગયાં અને એસ જયશંકરે પૉસ્ટ કરેલ ફોટોમાં કમેંટ વરસાવી દીધી. એક યૂઝરે તો લખ્યું કે , ' આ એક ગર્વની પળ છે. પ્રધાનમંત્રીનું ભારતીય પોશાક પહેરવું એ દર્શાવે છે કે બંને દેશોની વચ્ચે કેટલા સારાં સંબંધ રહેલા છે.' બીજા એક યૂઝરે લખ્યું કે ' અરે વાહ, પ્રધાનમંત્રીએ ભારતીય ડ્રેસ પહેરી છે.'
Pleasure to call on Prime Minister @jacindaardern of New Zealand. Conveyed the personal greetings of PM @narendramodi .
Discussed deepening our bilateral cooperation through focused engagement in areas of strength. pic.twitter.com/hY3lECg7P5
વિદેશમંત્રી એસ જયશંકરની આ પહેલી ન્યૂઝીલેન્ડ યાત્રા છે. ત્યારે જેસિંડાની સાથેની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી વ્યકિતગત શુભકામના આપી હતી. તેમણે ટ્વીટ કરતાં તેમણે લખ્યું " ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિંડા અર્ડન સાથેની મુલાકાત કરીને આનંદ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તરફથી પણ શુભકામનાઓ..."
Delighted to participate at the Kiwi Indian Hall of Fame Awards 2022 and the New Zealand launch of Modi@20: Dreams Meet Delivery. Value the presence of PM @jacindaardern , her cabinet colleagues and MPs at the event. pic.twitter.com/9gGCwq5Bna
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓ ન્યૂઝીલેન્ડમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમને પ્રદર્શિત કરવાવાળી 'ઇંડિયા@75' પૉસ્ટલ સ્ટેમ્પને બાહાર પાડશે. એસ જયશંકરે ન્યૂઝીલેન્ડની નાનાયા મહુતા સાથે INDO PACIFIC અને યૂક્રેન સંઘર્ષ જેવા આંતરરાષ્ટ્રીય મુદાઓ પર ચર્ચા કરી. આ સિવાય તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે એકબીજાની પરંપરા અને સંસ્કૃતિના સન્માન કરવાવાળાં બંને દેશ વધુ સારાં સમકાલિન સંબંધો બાંધવાના પ્રયાસો કરી રહ્યાં છે.
જયશંકરે કોવિડ-19થી લડવા માટે ન્યૂઝીલેન્ડ દ્વારા કરવામાં આવેલા ઉપાયોથી ભારતીય છાત્રો પ્રભાવિત થયા છે તે મુદા પર વાત કરી અને ન્યૂઝીલેન્ડમાં ભણવાં ઇચ્છતાં ભારતીય વિદ્યાર્થીઓ માટેની પ્રક્રિયાને ઝડપી કરવા અંગે આગ્રહ પણ કર્યો.