ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની. તમને જણાવી દઇએ કે, શુક્રવારે થયેલા મસ્જિદ પરના આતંકી હુમલામાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ મુશ્કેલી ભર્યા સમયમાં ન્યૂઝીલેન્ડમાં રહેનારા તમામ સમાજના લોકો એક સાથે આવી ગયા છે, જેમાં શિખ સમાજના લોકોના મદદ અને વ્યવસ્થા બનાવી રાખવામાં તન-મનથી લાગેલા છે.
ન્યૂઝીલેન્ડમાં કામ કરનારી એક NGO ગુરુ નાનક ફ્રી કિચેન સમાજના લોકોએ મુશ્કેલ સમયમાં પીડિતોને મદદ કરવાની અપીલ કરી, NGOએ આ અપીલ એક મુસ્લિમ રિપ્રેઝેન્ટેટિવની સલાહ પછી કરી. NGOએ દ્વારા, મદદ હેઠળ લોકોના શબને સાફ કરવામાં આવ્યા અને આ સિવાય તેમના પરિવાર અને શમશાન ઘાટ સુધી પહોંચાડવાનું કામ, કબ્ર ખોદવાનું અને લંગર લગાવવા જેવા કામ કર્યા.
NGOની અપીલ પછી ઘણા લોકો વોલેન્ટિયર રીતે જોડાયેલા, ''જે પછી એક ફેસબુક પોસ્ટમાં લોકોની તરફથી આવેલી મદદની વાત NGO કહેતા લખ્યુ કે, અમે લોકોની તરફથી ક્રાઇસ્ટચર્ચમાં સેવા માટે આવેલા સંદેશાનુ સ્વાગત કર્યુ. અમારી કમ્યૂનિટીના પ્રેમભર્યા વલણથી લોકોના હુમલાના ઘાવ ભરવામાં મદદ મળી. એવા લોકો કે ગ્રુપ, જે લોકોની મદદ કરવા માટે ઇચ્છે છે તેઓ અમારી સાથે જોડાયા.''
#Sikh community in New Zealand have come out to help the victims of #ChristchurchMosqueAttack. Guru Nanak Community Kitchen, an Auckland based NGO, came forward to volunteer help transportation of families to the cemetery & organise langar for those attending funerals. pic.twitter.com/Upz0CM9F7k
ઉલ્લેખનીય છે કે, ગુરુનાનક ફ્રી કિચેનની સ્થાપના એપ્રિલ 2017માં થઇ, તેની પાછળનો મુખ્ય હેતુ ઓકલેન્ડમાં જરૂરિયાતોને ભોજન કરાવવામાં મદદ કરવાનો છે. જેમાં શિખ યુવાઓ અને સ્વંયસેવકોની ખાસ ભૂમિકા રહે છે.