વિશ્વ કપમાં 2019ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતની સામે 240 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 49.3 ઓવરોમાં 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019થી બહાર થઈ ગઈ છે.
ન્યૂઝીલેન્ડના 240 રનના લક્ષ્યાંકની સામે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ચાર ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ પોતાના ટૉપ બૅટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર રોહિત શર્મા (1) કે.એલ રાહુલ (1) મેદાનમાં ઉતર્યા હતા. બીજી ઓવરમાં રોહિત શર્મા, ત્રીજી ઓવરમાં વિરાટ કોહલી (1) અને ચોથી ઓવરમાં કે.એલ રાહુલને પેવેલિયનભેગાં કરી દીધાં હતા. મેટ હૅનરી અને ટ્રેન્ટ બોલ્ટની જોડીએ 10મી ઓવરમાં દિનેશ કાર્તિક (6)ને પણ આઉટ કરી દીધો હતો.
જો કે ત્યાર બાદ હાર્દિક પંડ્યા (32) અને ઋષભ પંત (32) બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમની નૈયા પાર કરાવવામાં સફળ રહ્યાં ન હતાં. જો કે ત્યાર બાદ આવેલા બેટ્સમેન રવિન્દ્ર જાડેજા (77) એ ધમાકેદાર બેટિંગ કરતા ભારતીયોમાં ફરીએકવાર મેચ જીતવાની આશા જીવંત થઈ હતી.
જાડેજાએ 59 બોલમાં 77 રન નોંધાવ્યા હતા. પરંતુ બોલ્ટના બોલ પર આઉટ થતાં ભારતની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ધોનીએ જાડેજા સાથે સારી એવી પાર્ટનરશિપ કરતા 72 બોલમાં 50 રન ફટકાર્યા હતાં. તેમ છતાં ભારતના બેટ્સમેનો ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.
આ પહેલાં ન્યૂઝીલેન્ડે ભારતની સામે 8 વિકેટ ગુમાવીને 239 રન બનાવ્યાં હતાં. બુધવારે ન્યૂઝીલેન્ડે પોતાના ગઈ કાલના સ્કોર 46.1 ઓવરોમાં 221/5 થી આગળ રમવાનું શરૂ કર્યુ હતું. આ 23 બોલમાં ભારતીય પેસર્સ ભુવી અને બુમરાહે પોતાની જબરદસ્ત બોલિંગ કરીને માત્ર 28 રન ખર્ચ કરીને કીવી બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતાં.
આ બાજુ PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતે સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સારી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરી છે જેનો અમને ગર્વ છે. જીત અને હાર જીવનનો એક હિસ્સો હોય છે. ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
A disappointing result, but good to see #TeamIndia’s fighting spirit till the very end.
India batted, bowled, fielded well throughout the tournament, of which we are very proud.
Wins and losses are a part of life. Best wishes to the team for their future endeavours. #INDvsNZ
આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ ટીમ ઈન્ડિયા માટે ટ્વિટ કરતાં લખ્યું હતું કે આજની રાતે કરોડો ભારતીયોના દિલ તૂટ્યાં છે. પરંતુ ટીમ ઈન્ડિયા, તમે સારી કોશિશ કરી. તમે પ્રેમ અને સન્માન યોગ્ય છો. રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડની ટીમને પણ ધન્યવાદ આપ્યાં હતાં.
Though they’re a billion broken hearts tonight, Team India, you put up a great fight and are deserving of our love & respect.
Congratulations to New Zealand on their well earned win, that gives them a place in the World Cup final. #INDvNZ#CWC19
વર્લ્ડ કપમાં 8મા નંબર પર અર્ધસદી ફટકારનારો પ્રથમ બૅટ્સમેન બન્યો.
રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં 8મા નંબર પર અર્ધસદી ફટકારનારો પ્રથમ બૅટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જાડેજાએ 59 બોલમાં 77 રન બનાવ્યાં હતાં. તેની આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા શામેલ હતાં. આ મૅચમાં જાડેજા જ્યારે બૅટિંગ કરવા ઉતર્યો હતો ત્યારે ભારતનો સ્કોર 6 વિકેટ પર 92 રન હતો.
5 વર્ષ પહેલાં પણ NZ વિરુદ્ધ ચાલ્યું હતું જાડેજાનું બેટ
ઑકલેન્ડમાં 5 વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડની સામે 8મા ક્રમે બેટિંગ કરતા રવિન્દ્ર જાડેજાએ 45 બોલમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મૅચમાં ભારતીય ટીમ 315 રનના લક્ષ્ય પાછળ હતી. તે સમયે ટીમ ઈન્ડિયાને 86 રન પર 136 રનની જરૂર હતી અને જાડેજા બેટિંગ કરવા પહોંચ્યો હતો. આ મેચમાં ભારતની તરફથી અશ્વિને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 46 રનની ઈનિંગ રમી હતી અને પરિણામે આ મુકાબલો ટાઈ રહ્યો હતો.
PM મોદીએ ટ્વીટ કરી ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા
A disappointing result, but good to see #TeamIndia’s fighting spirit till the very end.
India batted, bowled, fielded well throughout the tournament, of which we are very proud.
Wins and losses are a part of life. Best wishes to the team for their future endeavours. #INDvsNZ
આ બાજુ PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતે સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સારી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરી છે જેનો અમને ગર્વ છે. જીત અને હાર જીવનનો એક હિસ્સો હોય છે. ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
રાહુલે ટ્વીટ કરી કહ્યું- તમે સારી કોશિશ કરી
Though they’re a billion broken hearts tonight, Team India, you put up a great fight and are deserving of our love & respect.
Congratulations to New Zealand on their well earned win, that gives them a place in the World Cup final. #INDvNZ#CWC19
આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ ટીમ ઈન્ડિયા માટે ટ્વિટ કરતાં લખ્યું હતું કે આજની રાતે કરોડો ભારતીયોના દિલ તૂટ્યાં છે. પરંતુ ટીમ ઈન્ડિયા, તમે સારી કોશિશ કરી. તમે પ્રેમ અને સન્માન યોગ્ય છો. રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડની ટીમને પણ ધન્યવાદ આપ્યાં હતાં.