દિલ્હી: જમ્મૂ-કશ્મીરના પુલવામા હુમલાના પડઘા આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. ત્યારે પાકિસ્તાનના વિરોધમાં અમેરિકામાં વસતા અને ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા ન્યૂયોર્ક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અહીં એકત્રિત થયેલા લોકોએ પાકિસ્તાન સામે સુત્રોચ્ચાર કર્યા.
New York, United States of America: Protest held by Indian American Community in front of United Nations on March 3 pic.twitter.com/b70hK3mhty
હાથમાં બેનરો અને પોસ્ટર સાથે લોકો ઉમટ્યા હતા અને ગોલ્બલ ટેરરિસ્ટ..પાકિસ્તાન..એવા સૂત્રોચ્ચાર પણ થયા. એટલું જ નહીં પાકિસ્તાન આંતક બંધ કરે એવા પણ સૂત્રોચ્ચાર થયા. તેમ છતા પાકિસ્તાન દ્વારા આતંક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તો બીજી તરફ, પાકિસ્તાનમાંથી જ શાંતિની માગ ઉભી થઈ છે. પાકિસ્તાનના લાહોરમાં ક્રિશ્ચિન ટ્રુ સ્પિરિટ દ્વારા હાથમાં બેનરો અને પોસ્ટરો દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી. અહીં એકત્રિત થયેલા લોકોએ શાંતિને સમર્થન આપ્યુ અને કહ્યું કે, અમે લોકો યુદ્ધ નહીં પણ શાંતિ ઈચ્છીએ છીએ.