નવા વર્ષે આઇઆરસીટીસી દક્ષિણ ભારતથી લઇને શિરડી અને ભગવાન જગન્નાથના દર્શન માટે સ્પેશિયલ અને સસ્તા ટુર પેકેજ લાવ્યુ છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દર મહિને પર્યટકો માટે એક એકથી ચઢિયાતા અને ઓછા બજેટ વાળા ટુર પેકેજ લાવે છે. નવા વર્ષે પણ આઇઆરસીટીસી શાનદાર પેકેજ લઇને આવ્યુ છે. આ વખતે નવા વર્ષના અવસરે આઇઆરસીટીસીએ દક્ષિણ ભારતની ટુરનુ એક ખાસ પેકેજ રજુ કર્યુ છે. તેમાં પર્યટકોને અહીંના ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવાશે. આ ટુરની શરુઆત આજથી થઇ રહી છે.
દક્ષિણ ભારત યાત્રા
સાત રાત્રિ અને આઠ દિવસના આ પેકેજમાં રામેશ્વવરથી લઇને તંજાવુર, તિરુચિરાપલ્લી, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, મહાબલીપુરમ અને કાંચીપુરમ જેવા ધાર્મિક સ્થળ સામેલ થશે. ગ્રુપ પ્રમાણે જવાનો પ્લાન હોય તો સ્ટાનડર્ડ પ્રાઇઝ 7560 રુપિયા છે. જ્યારે કમ્ફર્ટ કેટેગરીની પ્રાઇસ 9240 રુપિયા છે. દક્ષિણ ભારતના દર્શન માટે આઇઆરસીટીસીએ સ્પેશિયલ ભારત દર્શન ટ્રેનની શરુઆત કરી છે. તે સિકંદરાબાદથી ચાલશે અને વારાંગલ, વિજયવાડા, નેલ્લોર અને રેનિગુંટા જેવા સ્થાનો પરથી પસાર થશે.
ન્યુ યર શિરડી સ્પેશિયલ
ન્યુ યરના ખાસ અવસરે શિરડી માટે પણ આઇઆરસીટીસી સ્પેશિયલ પેકેજ લાવ્યુ છે. 7 જાન્યુઆરી 2020થી શરુ થઇ રહેલી આ ટુર માટે યાત્રીઓએ મદુરાઇથી ભારત દર્શન ટ્રેન પકડવી પડશે. આ માટે બુકિંગ પહેલા કરાવી લેવું. આ પેકેજમાં યાત્રિઓને શિરડી ઉપરાંત પંધારપુર અને માત્રાલયમ જેવી જગ્યાઓએ ફેરવાશે. આ પેકેજનો ભાવ 5,670 રુપિયા રાખવામાં આવ્યા છે.
જગન્નાથ યાત્રા
ભગવાન જગન્નાથના દર્શન માટે નવા વર્ષે આઇઆરસીટીસીએ 9 રાત અને 10 દિવસનુ પેકેજ તૈયાર કર્યુ છે. ટુરની શરુઆત 17 જાન્યુઆરી 2020થી થશે. તેમાં પુરી, ભુવનેશ્વર, હાવરા, ગુવાહાટી, ગયા અને વિશાખાપટ્ટનમ જેવી જગ્યાઓ કવર થશે. સ્ટાન્ડર્ડ પેકેજનો ભાવ રૂ. 9450 જ્યારે કમ્ફર્ટ પેકેજનો ભાવ 11,550 રુપિયા રાખવામાં આવ્યો છે. ટ્રેન કે પેકેજ અંગેની તમામ જાણકારી આઇઆરસીટીસીની સાઇટ પરથી મેળવી શકાશે.