નવા વર્ષનુ નામ નલ રહેશે. જેનો રાજા બુધ અને મંત્રી શુક્ર હશે. રાજા અને મંત્રીમાં મિત્રતા થવાથી સત્તાપક્ષ અને સરકારના કામ સરળતાથી થઇ જશે. કુંડળીમાં લગ્નેશ બુધ અષ્ટમ ભાવમાં રાહુની સાથે છે. આ વિશ્વ શાંતિ માટે સારો સંકેત નથી.
નવુ વર્ષ 2023 ખુશીઓ લઇને આવશે?
પછી વધારશે મુશ્કેલી?
આ બે જ્યોતિષીઓએ કરી ભવિષ્યવાણી
2023માં ગ્રહ ગોચરની સ્થિતિ શું જણાવી રહી છે
બીજા ભાવમાં રાહુની દ્રષ્ટિ પણ છે. જેનાથી વિશ્વના અમુક દેશોની આંતરિક સ્થિતિ સારી રહેશે નહીં. નવુ વર્ષ એટલેકે 2023ને આવવામાં હવે થોડા દિવસનો સમય બચ્યો છે. તેથી નવા વર્ષમાં ગ્રહોની સ્થિતિઓ શું રહેશે. દેશ-વિદેશ, શિક્ષણ, વેપાર, સુરક્ષા રાજનીતિ, આર્થિક સ્થિતિ, સંસ્કૃતિ અને ખેલકુદ ક્ષેત્રમાં કેવો સમય વિતશે. આ અંગે નિષ્ણાંત પંડિત અને નિષ્ણાંત જ્યોતિષાચાર્ચ પાસેથી જાણીએ આ વર્ષની ગ્રહ ગોચર સ્થિતિ શુ જણાવી રહી છે.
જાણો નવા વર્ષનુ શુ નામ રહેશે?
નિષ્ણાંત પંડિત મુજબ, નવા વર્ષનુ નામ નલ રહેશે. જેનો રાજા બુધ અને મંત્રી શુક્ર હશે. રાજા અને મંત્રીમાં મિત્રતા થવાથી સત્તાપક્ષ અને સરકારના કામ સરળતાથી થઇ જશે. કુંડળીમાં લગ્નેશ બુધ અષ્ટમ ભાવમાં રાહુની સાથે છે. આ વિશ્વ શાંતિ માટે સારો સંકેત નથી. બીજા ભાવમાં રાહુની દ્રષ્ટિ પણ છે. જેનાથી વિશ્વના અમુક દેશોની આંતરિક સ્થિતિ સારી રહેશે નહીં. ભારતના પાડોશીઓ સાથે પણ સંબંધ સારા રહેશે નહીં.
વિશ્વમાં વ્યાપારિક દ્રષ્ટિએ મંદી રહેશે
વિશ્વમાં વ્યાપારિક દ્રષ્ટિએ મંદી તો રહેશે. સામાન્ય લોકોના ખર્ચા પર નિયંત્રણ કરવુ પડશે અને હેલ્થ પર ધ્યાન આપવુ પડશે. ભારતમાં વિરોધ પક્ષોનુ વર્ચસ્વ રહેશે. ભારતમાં કોઈ વિશેષ કાયદાકીય વ્યવસ્થા પણ લાગુ થઇ શકે છે. અંક શાસ્ત્ર મુજબ 2023નો કુલ યોગ સાત આવે છે, જે કેતુનો અંક છે. કેતુ આધ્યાત્મિકતા તો આપે છે, પરંતુ આ વાયરસનુ પણ પ્રતિનિધિત્વ પણ કરે છે. એટલેકે કોરોના ફરી વખત ફેલાઈ શકે છે અથવા એવા પ્રકારની કોઈ બિમારી આખી દુનિયામાં ફેલાઈ શકે છે.
વિશ્વ ગુરૂની દિશામાં આગળ વધશે ભારત
2023માં ભારત વર્ષ સંપૂર્ણ વિશ્વમાં પોતાનુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. જેના કારણે ભારતની પરંપરા, રીતિ-રિવાજ અને સંસ્કૃતિને લઇને અનેક કાર્ય દુનિયાને નવી દિશા બતાવશે. મૂળભૂત સુવિધાઓ માટે પ્રાચીન પદ્ધતિઓને પ્રોત્સાહન મળશે. આખા વિશ્વમાં ભારતનુ નેતૃત્વ સારું રહેશે. વિદેશ સંબંધી નીતિઓનુ પરિવર્તન થવાના યોગ છે.
આર્થિક સ્થિતિ સારી રહેશે, વર્ષના મધ્યમાં તંગી
ભારતીય આર્થિક વ્યવસ્થાઓની વાત કરીએ તો 2023 ભારતની અર્થવ્યવસ્થાઓ માટે વધુ અનુકૂળ વર્ષ રહેવાનુ છે. ભારતની જીડીપી અને આર્થિક કોષ વધવાના યોગ છે. આ વર્ષે સામાન્ય માણસ માટે પણ આર્થિક સ્થિતિ વધુ સારી બનશે. જેનાથી દરેક મનુષ્ય ભૌતિક સુખ-સુવિધાઓ અને વસ્તુઓ ખરીદવામાં નાણા વધારે ખર્ચશે.