દેશમાં હવે નવા નવા વાયરસ ફેલાઈ રહ્યાં છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને હવે બંગાળમાં રહસ્યમયથી વાયરસથી 70 બાળકો બીમાર પડ્યાં છે.
દેશમાં હવે નવા નવા વાયરસ ફેલાઈ રહ્યાં છે
સિલિગુડીમા અજાણ્યા વાયરસથી 70 બાળકો બીમાર
જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાયા
બંગાળના સિલિગુડીમાં અજાણ્યા વાયરસનો ભોગ બનેલા 70 બાળકોને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી તેમને તમામને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.
દેશમાં નવા વાયરસની આફત
હમણા છેલ્લા કેટલાક સમયથી દેશમાં નવા નવા વાયરસ ફેલાઈ રહ્યાં છે. કોરોના બાદ યુપી, બિહાર, મધ્યપ્રદેશના નવા વાયરસ આવી ચૂક્યા છે. તો કેટલેક ઠેકાણે ચીકન ગુનિયા અને ડેન્ગ્યૂના નવા સ્ટ્રેને પણ દેખા દીધી છે. હવે બંગાળમાં અજાણ્યા વાયરસની એન્ટ્રી થઈ છે. ડોક્ટરોના જણાવ્યાનુસાર કોરોનાએ બીજા જેવા બીજા નવા સ્ટ્રેન પેદા કર્યાં હોવાને કારણે નવા વાયરસ આવી રહ્યાં છે અને બાળકો વધારે પ્રમાણમાં તેનો ભોગ બની રહ્યાં છે.
ICMRના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે યૂપીના ફિરોઝાબાદમાં અનેક જિલ્લામાં ડેન્ગ્યૂના તાવની માહિતિ મળી રહી છે આ માટે D2 સ્ટ્રેન કારણ માનવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા ગુરુવારે એક નિવેદનમાં કહેવાયું છે કે યૂપીના ફિરોઝાબાદમાં તાવના સેમ્પલની તપાસમાં આ સ્ટ્રેન સામે આવ્યો છે.
ફિરોઝાબાદ, મથુરા અને આગ્રામાં થયેલા મોત માટે આ સ્ટ્રેન જવાબદાર
ડો. ભાર્ગવે કહ્યું કે યૂપીના ફિરોઝાબાદ અને મથુરા અને આગ્રામાં પણ મોત થયા છે તેના માટે ડેન્ગ્યૂ કારણ રૂપ છે. તેઓએ કહ્યું કે આ જિલ્લામાં આઈસીએમઆર દ્વારા જે સેમ્પલ લેવાયા હતા તેમાં D2 સ્ટ્રેન જોવા મળ્યો છે અને તે લોહીના વહેવાનું કારણ બની શકે છે, આ સાથે તે ઘાતક પણ બની શકે છે. આ સમયે ભાર્ગવે યૂપીની જનતાને મચ્છરોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે મચ્છરની શક્યતા વાળી જગ્યા પર અને લાંબા સમય સુધી પાણી જમા રહેતું હોય ત્યાં જવાથી બચવું. આ સાથે સાફ સફાઈનું ધ્યાન રાખવું.