હાલમાં જ કોરોના વાયરસનો એક નવો વરીયંટ ડેલ્ટાક્રોન સામે આવ્યો છે. જણાવવામાં આવે છે કે આ નવો વાયરસ ડેલ્ટા અને ઓમિક્રોન વેરીયંટ મળીને બન્યો છે.
ભારતમાં ડેલ્ટાક્રોનનાં મામલાઓ
ડેલ્ટાક્રોનનાં લક્ષણો
આ વાયરસથી બચવા માટે શું કરવું?
હવે આ નવા વાયરસનાં મામલાઓ આવ્યા સામે
કોરોના એક વાર ફરી લોકોની તકલીફો વધારી રહ્યો છે. હાલમાં જ કોરોના વાયરસનું એક નવું વરીયંટ ડેલ્ટાક્રોન સામે આવ્યું છે. જણાવવામાં આવે છે કે આ નવો વાયરસ ડેલ્ટા અને ઓમિક્રોન વેરીયંટ મળીને બન્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જણાવે છે કે અમુક યૂરોપીય દેશ ફ્રાંસ, ડેન્માર્કમાં આ નવા ડેલ્ટાક્રોન વેરીયંટનાં મામલાઓ સામે આવ્યા છે.
જોકે અત્યાર સુધી આ વેરીયંટના ઘણા મામલાઓ જોવા મળ્યા છે, આવામાં આ નવા વેરીયંટ વિષે વૈજ્ઞાનિકોને જાણકારી નથી કે આ કેટલું ખતરનાક છે કે કેટલી સરળતાથી ફેલાઈ શકે છે. WHOની COVID-19ની તકનીકી પ્રમુખ મારિયા વાન કેરખોવએ એક ન્યૂઝ કોન્ફરંસમાં જણાવ્યું છે કે અમે આ નવા વેરીયંટની ગંભીરતામાં કોઈ બદલાવ જોયો નથી, પરંતુ વૈજ્ઞાનિકો આ બાબત પર ધ્યાન રાખી રહ્યા છે કે જાણી શકાય કે આ વેરીયંટ કેટલો ખતરનાક છે અને સંક્રામક છે. WHOના વૈજ્ઞાનિકોએ આ નવા વેરીયંટનાં ફેલાવાની આશંકા જતાવી છે.
મારિયા વાન કેરખોવ કહે છે કે અમે આ વેરીયંટ પર ધ્યાન આપી રહ્યા છીએ. આ વાયરસથી પ્રાણીઓ સંક્રમિત થઈ રહ્યા છે, આવામાં મનુષ્ય પણ તેમના સંપર્કમાં આવી શકે છે. મહામારી આજે પણ સંપૂર્ણ રીતે પૂરી થઇ નથી.
ભારતમાં ડેલ્ટાક્રોનનાં મામલાઓ
ડેલ્ટાક્રોન પર વિશેષજ્ઞોનું કહેવું છે કે દુનિયાભરનાં ઘણા દેશમાં ડેલ્ટાક્રોન વેરીયંટનાં મામલાઓ સામે આવ્યા છે. જો ભારતની વાત કરવામાં આવે તો અહિયાં પણ અત્યાર સુધી ડેલ્ટાક્રોનનાં મામલાઓ જોવા મળ્યા નથી. જોકે અમુક મામલાઓમાં ઓમિક્રોન તથા ડેલ્ટાનાં મિશ્રિત સંક્રમણ જરૂર જોવા મળ્યા છે. કોરોના વાયરસનાં આ વેરીયંટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ સ્વાસ્થ્ય મંત્રાલયનાં ઓફિસરો સાથે બુધવારે સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠક ગોઠવી હતી. બેઠકમાં આ નવા વેરીયંટનાં રિપોર્ટ્સ પર ધ્યાન આપવા કહેવામાં આવ્યું. ભારતમાં કોરોના સંક્રમીતોને જીનોમ સીક્વેસિંગ કરવાનું પણ કહેવાયું છે એટલે આ વેરીયંટ વિષે જાણી શકાય.
ડેલ્ટાક્રોનનાં લક્ષણો
વધારે પડતો તાવ
કફ
સૂંઘવામાં તકલીફ
નાકનું વહેવું
થાક લાગવો
માથામાં દુખાવો
શ્વાસ લેવામાં તકલીફ
શરીરમાં દુખાવો
ગાળાનાં ખરાશ
ઉલ્ટી
ડાયેરિયા
આ વાયરસથી બચવા માટે શું કરવું?
વાયરસનાં પ્રસારને રોકવા માટે COVID-19નાં નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. આમ કરવાથી આ વાયરસનાં વિકસિત થવા અને વધવાની સંભાવનાઓ ઘટાડી શકાય છે. આવામાં માસ્ક પહેરો, સામાજિક ડિસ્ટન્સ જાળવો અને સ્વચ્છતા જાળવો.