21 જૂનથી એટલે કે આજથી નવી રસીકરણ પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને મફતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવશે.
આજથી નવી રસીકરણ પોલિસી લાગુ
18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને મફ્ત રસી લાગશે
પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી ચાલ્યો
આજથી નવી રસીકરણ પોલિસી લાગુ
દેશભરમાં સોમવારે એટલે કે આજથી નવી રસીકરણ પોલિસી લાગુ થવા જઈ રહી છે. નવી નીતિમાં 18માં 44 વર્ષના લોકોને રસી લગાવવા માટે કોવિન પોર્ટલથી અપોઈનમેન્ટ લેવાની જરુરત હોય હતી. નવી પોલીસને મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના માધ્યમથી 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને મફ્ત રસી લાગશે. તમામ કેન્દ્ર 45 વર્ષથી નીચેના લોકોને રસી લગાવવામાં આવતી નહોંતી. રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં લગાવી રહ્યા હતા.
જાણો કઈ રસીની કેટલી કિંમત
નવી પોલીસીમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કોરોના રસીકરણ માટે ખાનગી હોસ્પટિલ હવે મનમાની કિંમત નથી વસૂલી શક્યા. કન્દ્રએ ખાનગી હોસ્પિટલમાં રસીનો વધારેમાં વધારે રેટ 780 કોવિશીલ્ડના એક ડોઝ માટે આપવાનો રહેશે. જ્યારે સ્પૂતનિક માટે 1145 અને કોવેક્સીન માટે 1410 રુપિયા ખાનગી હોસ્પિટલ લઈ શકશે.
પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી ચાલ્યો
ભારતમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી ચાલ્યો હતો. આ દરમ્યાન કેન્દ્ર સરકારે રસીકરણ કંપનીઓ પાસેથી વેક્સિનની 100 ટકા ખરીદી કરી હતી અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મફતમાં રસી વિતરણ કરી હતી. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કસ અને 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
વેક્સિનનું સંચાલન કરવામાં પડી મુશ્કેલી
વેક્સિનની ખરીદીની નીતિમાં ફેરફાર સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, ઘણાં રાજ્યોએ હવે કહ્યું છે કે તેમણે નાણાં એકત્રિત કરવા, વેક્સિનની ખરીદી અને તેના સંચાલનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમની ગતિ પર પણ અસર પડી છે. એવુ પણ ધ્યાને આવ્યું છે કે નાની અને ખાનગી હોસ્પિટલોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.
હવે રાજ્ય શું કરશે?
કેન્દ્ર દ્વારા આપવામાં આવેલો વેક્સિનનો ડોઝ હવે રાજ્ય 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને મફતમાં આપશે. જોકે, આ દરમ્યાન સ્વાસ્થ્ય કાર્યકર્તા, અગ્રિમ હરોળના કાર્યકર્તા, 45 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો અને જે નાગરિકોને બીજો ડોઝ બાકી છે. ત્યારબાદ 18 અને તેનાથી વધુની ઉંમરના નાગરિકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
કોવિન પર રજીસ્ટ્રેશન ફરજીયાત નથી
21 જૂનથી શરૂ થઈ રહેલા રસીકરણના આગામી તબક્કામાં Cowin.gov.in પર રજીસ્ટ્રેશન કરવુ જરૂરી નથી. દરેક સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર આ સુવિધા લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત જૂને જાહેરાત કરી હતી કે રાજ્યોએ વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી વેક્સિનની ખરીદી કરવાની જરૂર નથી. કેન્દ્ર 75 ટકા વેક્સિનની ખરીદી કરશે અને દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફ્રીમાં વિતરણ કરશે.