વૃદ્ધો અને દિવ્યાંગોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે આપ્યા નવા નિર્દેશ
વૃદ્ધો અને દિવ્યાંગોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે આપ્યા નવા નિર્દેશ
ક્યાં ક્યાં બનશે આ સેન્ટરો?
ભારતમાં હવે ફાઇઝર રસી પણ થઈ જશે ઉપલબ્ધ
વૃદ્ધો અને દિવ્યાંગોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે આપ્યા નવા નિર્દેશ
ભારતના 60 વર્ષથી વધુના દરેક વૃદ્ધ લોકોને અને દિવ્યાંગ લોકોને ઘરની નજીક જ વેક્સિન મળી રહે તે માટે ઘર નજીક જ નવા વેક્સિન સેન્ટર બનાવવામાં આવશે. જે NHCVC ના નામથી ઓળખાશે. કોરોના વેક્સિનના પ્રશાસન પર રાષ્ટ્રીય વિશેષજ્ઞ કમિટીએ વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને તેમના ઘરની નજીક વેક્સિન મળી રહે તે માટે ઘરની નજીક કે વેક્સિન સેન્ટર ઊભા કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર મંત્રાલયને કર્યો હતો. ઘર પાસે બનાવવામાં આવતા આ બધા જ સેન્ટરો NHCVC એ દરેક વૃદ્ધો અને દિવ્યાંગો માટેની વેક્સિનેશન પ્રક્રિયા સરળ બની રહે તેવા હશે અને તે ઘરથી સાવ નજીક હશે. આ લોકોની ઉંમર અને શારીરિક સ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યાં ક્યાં બનશે આ સેન્ટરો?
આ પ્રક્રિયા અંતર્ગત, આરડબલ્યુએ કેન્દ્રો (RWA), ગ્રુપ હાઉસિંગ સોસાયટી, પંચાયત ઘર, સ્કૂલોમાં આવા સેન્ટરો ઊભા કરવામાં આવશે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો કે જેમણે હજી સુધી વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો કે પછી જેમને માત્ર બીજો જ ડોઝ લેવાનો બાકી છે અને જે લોકો દિવ્યાંગ છે તે દરેક લોકોને આ સેન્ટરો પર વેક્સિન આપવામાં આવશે. આ સેન્ટર પર માત્ર નક્કી કરેલ આ વર્ગ જ જઈ શકશે, બાકીનો જે વર્ગ છે તે લોકો હાલ જે પ્રક્રિયા મુજબ વેક્સિન લે છે, તે જ રીતે જ વેક્સિન લઈ શકશે.
ભારતમાં હવે ફાઇઝર રસી પણ થઈ જશે ઉપલબ્ધ
વી. કે. પોલે ગુરુવારે પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન કહ્યુ કે ફાઈઝરની સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યુ કે ફાઈઝરે રસીની શક્ય આડઅસરને લઈને સંરક્ષણની માંગ કરી હતી. જેના પર ભારત સરકાર વિચાર કરી રહી છે. તથા જલ્દી આ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું આ પ્રકારની છુટ ફાઈઝરે અમેરિકા સહિત તે તમામ દેશોમાં માંગી હતી. જ્યાં રસીનો સ્પ્લાય કર્યો છે.