અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ ઉપરાંત તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાની મોત પણ ચર્ચામાં છે. દિશાએ સુશાંતની મોતના કેટલાંક દિવસ પહેલાં જ આત્મહત્યા કરી હતી. જ્યારે દિશા સાલિયાનની મોતના મામલે અભિનેતા સૂરજ પંચોલીનું નામ ચર્ચામાં આવ્યું હતું. યુઝર્સનો આરોપ હતો કે સુશાંત અને દિશાની મોતની વચ્ચે કોઈ લિંક છે. દિશા સાલિયાનના ડેથ કેસમાં પણ હવે કેટલાંક નવા ખુલાસા થઈ રહ્યાં છે.
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આવ્યો નવો વળાંક
સુશાંત અને દિશા સલિયાન વચ્ચેની વાતચીત થઈ વાયરલ
સુશાંત સિંહ રાજપૂતની PR મેનેજર હતી દિશા સલિયાન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ ઉપરાંત તેની પૂર્વ મેનેજર દિશા સલિયાનની મોત પણ ચર્ચામાં છે. દિશાએ સુશાંતની મોતના કેટલાંક દિવસ પહેલાં જ આત્મહત્યા કરી હતી. જ્યારે દિશા સલિયાનની મોતના મામલે અભિનેતા સૂરજ પંચોલીનું નામ ચર્ચામાં આવ્યું હતું. યુઝર્સનો આરોપ હતો કે સુશાંત અને દિશાની મોતની વચ્ચે કોઈ લિંક છે. દિશા સાલિયાનના ડેથ કેસમાં પણ હવે કેટલાંક નવા ખુલાસા થઈ રહ્યાં છે.
કેસમાં આવ્યો નવો વળાંક
હવે સુશાંત અને દિશાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર સુશાંત સિંહ અને દિશા સાલિયાન બંને એપ્રિલ મહિનાથી ટચમાં હતાં. બંને વચ્ચે કામને લઈને કેટલીક વાતો થઈ હતી. સામે આવેલી ચૅટથી સ્પષ્ટ ખ્લાય આવી રહ્યો છે કે દિશા સુશાંતનું PR મેનેજ કરી રહી હતી.
સુશાંત અને દિશા કરી રહ્યા હતા અમુક મોટા પ્રોજેક્ટ્સ પર વાતચીત
આ ચૅટના મુજબ દિશા, સુશાંત કેટલાંક મોટા પ્રોજેક્ટ પર વાત કરી રહ્યાં હતાં. આ ઉપરાંત સુશાંતની ચૅટથી એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમની પાસે કેટલીય ટીવી કમર્શિયલ ઑફર આવી રહી હતી. જેમાંથી કેટલાંક માટે સુશાંતે દિશાને વાત કરવા પણ કહ્યું હતું અને કેટલીક ઑફર્સ ફગાવી પણ દીધી હતી.
ચેટમાં સુશાંતે લીધું હતું સિદ્ધાર્થ પીઠાનીનું નામ
બંને વચ્ચે થયેલી વૉટ્સઍપ ચૅટ 2, 7, 9 અને 11 એપ્રિલના રોજ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂત અને દિશા સલિયન વચ્ચે થયેલી આ ચૅટ પ્રોફેશનલ હતી. એક્ટરને દિશાએ એક ઑઈલની એડ કરવા માટે કહ્યું હતું. આ એડ માટે સુશાંતને 60 લાખની મોટી રકમ ઑફર કરવામાં આવી રહી હતી. ચૅટમાં સુશાંતે સિદ્ધાર્થ પીઠાનીનું પણ નામ લીધું છે.
દિશાએ કરી હતી આત્મહત્યા
ઉલ્લેખનીય છે કે દિશા સલિયાને 8 જૂન કથિત રીતે એક બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની મોતના ઠીક એક સપ્તાહ બાદ સુશાંત સિંહ 14 જૂને પોતાના ઘરમાં મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેણે પણ આત્મહત્યા કરી હતી. જેના બાદથી સોશ્યલ મીડિયા પર કેટલાંક લોકો સુશાંત સિહ રાજપૂત અને દિશા સલિયાનની મોતને એકબીજાથી જોડીને જોઈ રહ્યાં છે.