કેન્દ્ર સરકાર દ્વારા આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે જેમા ગુજરાતના વધું ત્રણ નેતાઓને સ્થાન મળી શકે છે. સુરતના સાસંદ દર્શનાબેન જરદોશ, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા અને દેવુંસિંહ ચૌહાણને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
સુરતના સાંસદ દર્શનાબેન જરદોષનું કદ વધશે
સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાનું નામ પણ શામેલ
દેવુંસિંહ ચોહાણને પણ સ્થાન મળી શકશે
મોદી સરકાર દ્વારા આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે છે. જેમા ગુજરાતના વધું એક નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મોદી મંત્રીમંડળમાં દર્શનાબેન જરદોષને સ્થાન મલી શકે છે. કે જેઓ હાલમાં સુરતના સાંસદ છે. તે સિવાય સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સુરેન્દ્રનગરના સાસંદ મહેન્દ્ર મુંજપરાને પણ સ્થાન મળી શકે છે તેમજ દેવુંસિંહ ચૌહાણને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે શકે છે
પરષોત્તમ રૂપાલાનું નામ મોખરે
તે સિવાય ગુજરાતના મંત્રી પરષોત્તમ રૂપાલાનું આજે મંત્રીમંડળમાં કદ વધી શકે છે. તેમજ અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીનું એમ બીજા કુલ 3 નેતાઓનું પણ આજે મંત્રીમંડળમાં કદ વધી શકે છે. મંત્રી મંડળમાં પરષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવી શકે છે. સાથેજ અનુરાગ ઠાકુરને રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર આપવામાં આવશે. આગામી સમયમાં હિમાચલમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુરાગ ઠાકુરને પ્રમોશન આપવામાં આવી શકે છે.
ગુજરાતના આ બે નેતાઓને પણ મંત્રીમંડળમાં પ્રવેશ મળે તેવી ચર્ચા
પીએમ મોદીના બીજા કાર્યકાળનો આ પહેલો મંત્રી પરિષદ વિસ્તાર થવાનો છે. ત્યારે ગુજરાતના 2 નેતાઓના નામ પણ નવા મંત્રી મંડળમાં ચર્ચામાં છે, જેમાં ગુજરાતમાંથી સાંસદ કિરીટ સોલંકી તથા સાંસદ જુગલ ઠાકોરનો સમાવેશ કરવામાં આવી શકે છે. તો સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.