કોરોનાની બીજી લહેરમાં કેટલાક લક્ષણ એવા પણ જોવા મળી રહ્યાં છે જેને માણસ એકદમ સામાન્ય માને છે અને નજરઅંદાજ કરી દે છે.
કોરોનાના નવા લક્ષણ ખુબ ખતરનાક
કોઇ પણ લક્ષણને હળવાશથી ન લેશો
ડૉક્ટર્સ પણ લક્ષણ જાણીને રહી ગયા દંગ
બેચેની, પેટમાં દુખાવો, ઝાડા અને કમજોરી આ બધી સમસ્યાઓ એવી છે કે જે ગરમીમાં સામાન્ય રીતે કોઇને પણ થઇ શકે છે પરંતુ હવે વધારે સાવધાન રહેવાની જરૂર છે કારણકે આ પ્રકારના લક્ષણ કોરોનામાં સામેલ થઇ ચૂક્યા છે.
કોરોનાના લક્ષણ ન દેખાય તેવા લોકો પણ સંક્રમિત હોય છે. લોકોમાં પહેલા અસામાન્ય લક્ષણ જોવા મળતા હતા પરંતુ હવે આ લક્ષણ ખુબ સામાન્ય ખઇ ચૂક્યા છે. માટે હવે વધારે સાવધાન રહેવાની જરૂર છે.
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો.
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.
ભૂખ ન લાગવી અને મેન્ટલ હેલ્થ પર અસર
પહેલા કોરોનાના પોસ્ટ લક્ષણમાં જોવા મળતુ હતુ પરંતુ હવે મુખ્ય લક્ષણમાં આવી ગયુ છે કે કોરોનાના પેશન્ટને સામાન્ય રીતે મેન્ટલ હેલ્થ પર અસર થઇ જાય છે. સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને માણસ શારીરિક અને માનસિક રૂપથી કમજોર થઇ જાય છે.
નવો વેરિએન્ટ વધુ ખતરનાક
કોરોનાનો નવો વેરિએન્ટ ખુબ ખતરનાક છે. તે માત્ર શ્વસન પ્રણાલી પર હુમલો નથી કરતુ પરંતુ અલગ અલગ દર્દીઓને અલગ અલગ રીતે પ્રભાવિત કરી રહ્યો છે. આવામાં કોઇ પણ પ્રકારના લક્ષણને હલકામાં ન લઇ શકાય. કેટલાક દર્દીઓતો સાજા થવામાં ઘણો સમય લઇ રહ્યાં છે. આવા દર્દીઓ કે જેમને કોરોનાની સાથે ન્યૂમનિયા પણ થઇ ગયો હોય તેમને સાજા થવામાં લાંબો સમય લાગે છે.
વિટામીન સીનુ કરો સેવન
કોરોનાના એક્સપર્ટ કહે છે કે આપણે સૌ જાણીએ છીએ કે વાયરસથી બચવુ અઘરુ છે પરંતુ જો તમે માસ્ક સેનેટાઇઝરને લઇને સહેજ પણ બેદરકારી દાખવશો તો તેની ઝપેટમાં આવતા વાર નહી લાગે. રોગપ્રતિકારક શક્તિને વધારો અને કોરોનાથી લડો.