દુનિયાના તમામ વૈજ્ઞાનિકો કોરોના મહામારી વિરૂદ્ધના જંગમાં સંશોધનમાં જોતરાયેલા છે, ત્યારે તાજેતરમાં થયેલ એક સ્ટડીમાં મહત્વનો ખુલાસો થયો છે.
કોરોનાને લઈને સૌથી મોટું સંસોધન
કોવિડ ગાઈડલાઈનના પાલનથી 53 ટકા જેટલો ઓછો ફેલાશે કોરોના
30 જેટલા સંશોધનનો આવ્યો નિચોડ
સંશોધન પ્રમાણે, જો લોકો નિયમ અનુસાર માસ્ક પહેરવાનું પાલન કરે તો દુનિયાભરમાંથી કોરોનાના 53 ટકા કેસમાં ઘટાડો નોંધાઈ શકે છે. સંશોધકોએ સાર્વજનિક સ્વાસ્થ્યની વિચારણા બાદ કોરોના સામેની જંગમાં માસ્કને કારગત હથિયાર ગણ્યું છે.
માસ્ક જ મુખ્ય હથિયાર
સંશોધકોનું કહેવું છે કે,અમે લાંબી સમીક્ષા અને વિશ્લેષણ બાદ જાણ્યું કે કોરોના વિરૂદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગ, વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવું સૌથી મોટું અને કારગત હથિયાર છે. જો લોકો કોરોના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન કરે તો મહામારીના કેસમાં આપોઆપ ઘટાડો થવા લાગશે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં ખાસ કરીને માસ્ક પહેરવું જોઈએ.
30 જુદા જુદા અભ્યાસોનું અધ્યયન કરીને મળ્યું પરિણામ
વિઓન પર પ્રકાશિત અહેવાલ અનુસાર, સંશોધકોનું કહેવું છે કે તેમના અભ્યાસમાં માસ્કના વારંવાર ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. અભ્યાસમાં સામાજિક અંતરના નિયમો બાદ લોકડાઉનના પગલાંને સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તવમાં, આ અભ્યાસ માટે, સંશોધકોએ 30 વિવિધ અભ્યાસોની સમીક્ષા કરી છે. સમીક્ષાના પરિણામો દર્શાવે છે કે યોગ્ય રીતે માસ્ક પહેરવાથી કોરોનાના કેસોમાં 53% ઘટાડો થઈ શકે છે, સામાજિક અંતરને અનુસરીને 25% સુધી.
ક્યાંક કોરોનાના કેસમાં ઉછાળો તો ક્યાં વધ્યો કહેર
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં જ્યાં દુનિયાના કેટલાક હિસ્સામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તો યુરોમાં મહામારી ફરી એકવાર તબાહી મચાવી રહી છે. ભારત પણ તે રાષ્ટ્રોમાં સામેલ છે જ્યાં કોરોના હાલ નિયંત્રણમાં છે, જો કે, ભારતમાં સતત કોવિડ-19 મામલાના જીનોમ સ્ટડી કરવામાં આવી રહી છે, જેનાથી કોઈપણ નવા મ્યૂટન્ટને લઈને ચેતવણી આપવામાં આવી શકે છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કોરોનાના મામલામાં ગુરુવારે વધારો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11 હજાર 919 નવા દર્દી જોવા મળ્યા છે. આ દરમિયાન 470 દર્દીના મોત થયા છે. હાલમાં ભારતમાં 1 લાખ 28 હજાર 762 દર્દીની સારવાર ચાલું છે. નવા આંકડા મળતા દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 3 કરોડ 44 લાખ 78 હજાર 517 પર પહોંચી ગઈ છે. ત્યારે 4 લાખ 64 હજાર 623 દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે.
બુધવારે વેક્સિનેશનમાં સર્જાયો આ રેકોર્ડ
તેમણે કહ્યું કે આને 1,16,73,459 રસીકરણ સત્રના માધ્યમથી મેળવી શકાય છે. જેમાંથી 75,57,24,081 ને પહેલા ડોઝ તરીકે આપવામાં આવી અને 38,11,55,604 ડોઝ બીજા ડોઝના માધ્યમથી આપવામાં આવી. રસીના બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યા 38,11,55,604 અને પહેલો ડોઝ લેનારની સંખ્યા 37,45,68,477 ને પાર ચાલી ગઈ છે.