વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં દમદાર જીત સાથે વાપસી કરી. વાપસીની સાથે જ મોદી સરકારે એક નવી યોજના જાહેર કરી છે. મોદી સરકારે ટેક્સ કલેક્શન માટે એક નવતર આઇડિયા અપનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેક્સ ભરનાર લોકોને પ્રોત્સાહિત કરવા માટે મોદી સરકારે એક ઓફર મુકી છે. સરકારને આશા છે કે, આ ઓફરથી ટેક્સ કલેક્શનમાં ફાયદો થશે થશે અને સરકારી ખજાનામાં પણ વધારો થશે.
હવે દેશમાં જે સૌથી વધારે ટેક્સની ચૂકવણી કરશે તે વ્યક્તિને નાણામંત્રી અથવા વડાપ્રધાન મોદી સાથે ચાય પે ચર્ચા કરવાની તક મળશે. આ ઓફરના લીધે ટેક્સ ચૂકવનાર પ્રોત્સાહિત થશે. મિંટના રિપોર્ટ મુજબ સરકારની જરૂરીયાત ઇન્કમ ટેક્સ કલેક્શનમાં વધારો કરવાનો છે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણામંત્રાલય પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એટલા માટે જ નાણામંત્રાલયની જવાબદારી નિર્મલા સીતારમણને સોંપવામાં આવી છે. આ કાર્યકાળમાં સરકારની યોજના ટેક્સ સિસ્ટમને વધારેમાં વધારે પ્રોગ્રેસિવ બનાવવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગામી બજેટમાં સરકાર આ મુદ્દે મોટું પગલું ઉઠાવી શકે છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી હંમેશા કહે છે કે, આમ આદમી જે ટેક્સ ચૂકવે છે તેના લીધે જ દેશનો વિકાસ થાય છે. માટે જ PM મોદી ઘણી વખત ટેક્સપેયર્સનો આભાર વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ પ્રથમ વખત ટેક્સપેયર્સ સાથે વડાપ્રધાન અથવા નાણામંત્રી ચાય પર ચર્ચા કરવાના છે. આ ઓફર મામલે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટેક્સ કલેક્શનમાં વધારો થશે, સાથે જ ટેક્સ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે ટેક્સ ચૂકવનારને એક પ્રોત્સાહિત પ્રમાણપત્ર પણ આપશે.