ચૂંટણી પંચ દેશભરમાં જ્વેલરીની મૂવમેન્ટને લઇને અલગ નિયમ નક્કી કરવાની તૈયારીમાં છે.
ચૂંટણી પંચ દેશભરમાં જ્વેલરીની મૂવમેન્ટને લઇને અલદ નિયન નક્કી કરવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પંચ જલ્દીથી લોકસભા ચૂંટણી દરમિયાન દેશભરમાં દ્વેલરીની મૂવમેન્ટને લઇને એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર લાગૂ કરી શકે છે.
વાસ્તવમાં આચાર સંહિતા લાગૂ થયા બાદથી દેશના ઘણા વિસ્તારોથી જ્વેલરી સિઝ થયા હોવાના સમાચાર મળ્યા હતા. જેને લઇને મંગળવારે ઑલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ ચૂંટણી પંચને મળ્યું હતું.
ઑલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના વાઇસ ચેરમેન શંકર સેનના પ્રમાણે આદર્શ આચાર સંહિતા લાગૂ થવાથી ઘણા વિસ્તારોમાં જ્વેલર્સને પરેશાન કરવાની ફરિયાદ મળી છે. તમિલનાડુ, તેલંગાણા, NCR અને ઉત્તર પ્રદેશમાં સમસ્યા થઇ છે.
આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ કોઇ પણ વ્યક્તિ 50 હજાર રૂપિયાથી વધારેની રોકડ લઇને જઇ શકે નહીં. જો તમારી પાસે 50 હજારથી વધારે રકમ છે તે એને આવકનો સ્ત્રોત જણાવવો પડશે. જો કોઇ વ્યક્તિ 10 લાખથી વધારે કિંમત લઇને જાય છે તો એને ઇન્કમ ટેક્સને જણાવવું પડશે.