જુલાઇ મહિનનાની પહેલી તારીખથી સામન્ય માણસના જીવન સાથે સંકળાયેલી કેટલીય ચીજ વસ્તુઓ અને નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જે માટી 8 વસ્તુઓમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તેના વિશે સમગ્ર વિગતો જાણી લો.
LPG સિલન્ડરના ભાવમાં થશે ફેરફાર
SBI પોતાના ગ્રાહકો માટે કરી રહી છે મોટા ફેરફાર
ટેક્સ નથી ભર્યો તો આવતા મહિનેથી વધુ ટેક્સ ભરવો પડશે
તેલની કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવને લઈને નવા ભાવ જાહેર કરતી હોય છે, દુનિયાભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનોમાં વધારો થતાં આ વખતે ઘરમાં વપરાતા LPG સિલિન્ડરનમાં ભાવમાં શું ફેરફાર થશે તે 1 જુલાઇના દિવસે ખબર પડશે.
SBIએ જાહેર ક્યારેક નવા નિયમો મુજબ શાખા અને ATMમાંથી હવે બેંક દ્વારા ફિક્સ કરેલી રકમ જ ઉપાડી શકાશે. હાલ કોઈ પ્રકારની લિમિટ છે નહીં, પણ 1 જુલાઇથી તેના પર ચાર્જ લગાડવામાં આવશે. 1 જુલાઇથી 15 રૂપિયા પ્લસ GST ચાર્જ લાગશે. જેમાં ચાર વાર પૈસા ઉપાડ્યા બાદ આ ચાર્જ લાગુ પડશે. આ ચાર્જ SBI ના ATMની સાથે સાથે બીજા કોઈ પણ ATM માંથી પૈસા ઉપાડતી વખતે આ ચાર્જિસ ચૂકવવા લાગુ પડશે.
1 જુલાઇ 2021થી SBI પોતાના ગ્રાહકો પાસે લીફ ચેક પર પણ ચાર્જ વસૂલ કરશે. આ અર્થમાં જો તમે લીફ ચેકની લિમિટ પાર કરી દો છો તો પછીના 10 ચેક લીફ પર 40 રૂપિયા GST સાથે આપવા પડશે. તેના પછીના 25 ચેક લીફ પર 75 રૂપિયા GST સાથે આપવા પડશે. સાથે જ કોઈ આકસ્મિક સંજોગોમાં ચેકબુક માટે 50 રૂપિયા GST સાથે ચૂકવવા પડશે. આ બધા જ ચાર્જિસમાં વરિષ્ઠ નાગરિકો માટે ચેકબુકના ઉપયોગ માટે કોઈ પણ પ્રકારના ચાર્જ આપવાનો રહેશે નહીં.
1 જુલાઇથી બદલાઈ રહ્યા છે બેંકથી લઈને ટેક્સ જેવા અનેક નિયમો, આજથી જ કરી લો તૈયારી
છેલ્લા બે ધંધાકીય વર્ષમાં જો તમે કોઈ તમે ટેક્સ નથી ભર્યો તો પછી આવતા મહિનેથી વધુ TDS ભરવો પડશે. આ નિયમ તેવા લોકો પર જ લાગુ પડશે જેમનો વાર્ષિક TDS 50 હજારથી વધુ છે. આ વર્ષનો ટેક્સ ભરવાની તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી હતી.
હવે સિંડિકેટ બેન્કના IFSC કોડ માત્ર 30 જૂન સુધી જ કાર્યરત રહેશે. 1 જુલાઇ 2021થી હવે તમારે નવો IFSC કોડ લેવો જરૂરી છે. એટલે જો તમે કે પછી તમારા ફેમિલી કે મિત્રોમાં કોઈ પણ વ્યક્તિનું ખાતું જો આ બેન્કમ હોય તો તમારે બેન્કમાં જઈ નવા IFSC કોડ માટે જવું પડશે.
આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક સાથે મર્જ થયા બાદ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે હવ નવા સુરક્ષિત ફીચર્સ વાળા ચેકનો ઉપયોગ કરવો પડશે. તેનો IFSC કોડ પણ બદલાઈ ગયો છે
ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ દ્વારા 1 જુલાઇ 2021થી 3000 રૂપિયા સુધીનો જેટલો વધારો આવશે. તેમણે કહ્યું છે કે ટેક્સ વધતાં અમે આ નિર્ણય લીધો છે.
કોરોના સંક્રમણ ઓછું થતાં હવે રેલવે દ્વારા 7 સ્પેશિયલ ટ્રેનોણે ફરી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કન્ફર્મ ટિકિટ વાળા યાત્રીઓ સફર કરી શકશે. સાથે જ પેટ્રોલ પર 4.5 રૂપિયા પ્રતિ લિટર ટેક્સ ઓછો કરી શકે છે સરકાર.