કોરોના વાયરસમાં સંક્રમણની તપાસ કરવામાં નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવશે
કોરોના ટેસ્ટને લઈ ઘણા મોટા ફેરફાર થઈ શકે
WHO દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે
વેક્સિનના બને ડોઝ લીધા બાદ પણ સંક્રમણ ફેલાઈ શકે
કોરોના ટેસ્ટને લઈ ઘણા મોટા ફેરફાર થઈ શકે
દેશમાં કોરોના વાયરસનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હવે દેશ અને દુનિયા માટે નવો ખતરો બની ચૂક્યો છે. એવામાં ભારત સરકાર દ્વારા કોરોના ટેસ્ટને લઈ ઘણા મોટા ફેરફાર કરી શકે છે. આ ફેરફાર બાદ જે લોકોમાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ બદલાવ WHO દ્વારા કરવામાં આવશે ત્યારબાદ તેને લાગુ પાડવામાં આવશે. જેથી કોરોના વાયરસમાં સંક્રમણની તપાસ કરવામાં નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવશે.
WHO દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે
જો સાથે વેકસીનેશન પર વાત કરીએ ટો અત્યાર સુધી દેશમાં 32 કરોડથી વધુ વેક્સિન ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. જેમાંથી ઘણા બધા લોકો એવા છે કે જે વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે. સાથે જ ભારતમાં એવા પણ લોકો છે જેમને એક વાર કોરોના થયા બાદ બીજી વખત તેઓ ટેસ્ટ કરાવતા નથી. પણ સ્થિતિ ત્યારે બગડે છે જ્યારે આલ્ફા, બીટા અને ગામાની સાથે સાથે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લીધે વેક્સિનના બને ડોઝ લીધા બાદ પણ તેઓ સંક્રમિત થાય છે પણ ટેસ્ટ નથી કરાવતા.
વેક્સિનના બને ડોઝ લીધા બાદ પણ સંક્રમણ ફેલાઈ શકે
WHOના કહ્યા મુજબ જો ટેસ્ટ કીટ ઓછી હોય ત્યારે જે લોકોમાં લક્ષણ ઓછા હોય કે પછી ના હોય તેવા લોકોનો ટેસ્ટ કરવો મુશ્કેલ પડી જાય છે અને પરિણામે જે લોકોમાં લક્ષણો હોય છે તેવા લોકોના ટેસ્ટ કરવાના રહી જાય છે. જેમ કે સ્વાસ્થ્ય કર્મીઓ, દર્દીઓ, જે ઘરમાં કે વિસ્તારમાં વધુ કેસો આવ્યા હોય તેવા લોકો, કે પછી જે લોકોમાં વધુ લક્ષણો દેખાય છે તેવા લોકોને પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ.