તહેવારોની સિઝનની શરૂઆત થઇ ગઇ છે એવામાં લોકોને સતત પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રૂપિયાની જરૂર પડે છે. એવામાં ઘણી વખત એવું બને છે કે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાઇ જાય પરંતુ ATM માંથી ના નીકળે, એટલે કે ટ્રાન્ઝેક્શન ફેલ થઇ જાય.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નવો નિમય
ટ્રાન્ઝેક્શન ફેલ પર થવા પર અમુક દિવસે સુધી જે બેંક તરફથી રૂપિયા ના આવે તો બેંકે ચૂકવવી પડશે પેનલ્ટી
એવી સ્થિતિમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આ મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નવા નિયમ બનાવ્યા છે.
આ સ્થિતિમાં કસ્ટમર્સને ફરિયાદોને પહોંચી વળવા માટે ટર્નરાઉન્ડ ટાઇમનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યુ છે અને ફેલ્ડ ટ્રાન્ઝેક્શનની સ્થિતિમાં પૈસા ના પરત કરવા પર બેંક ગ્રાહકોને વળતર આપશે.
જાણો કેટલું મળશે વળતર:
- નવા નિયમોના જણાવ્યા પ્રમાણે, ATMમાંથી પૈસા ઉપાડતી વખતે જો એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય, પરંતુ કેશ ન નીકળે તો ટ્રાન્ઝેક્શન બાદ 5 દિવસમાં એકાઉન્ટમાં પૈસા પાછા આપવા પડશે. 5 દિવસ બાદ જો વિલંબ થશે તો 100 રૂપિયા દરરોજ વળતર આપવાનું રહેશે.
- જો ડેબિટ કાર્ડથી પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર ટ્રાન્ઝેક્શન ન થાય એટલે કે કસ્ટમરના એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ ગયા હોય પરંતુ દુકાનદારના POS લોકેશન પર ચાર્જ સ્લિપ જનરેટ ન થાય તો કસ્ટમરને ટ્રાન્ઝેક્શનવાળી તારીખથી લઈને આવતા 5 દિવસમાં રિવર્સ કરવાનું રહેશે. જો 5 દિવસમાં આવું ન થાય તો બેંકે દરરોજ 100 રૂપિયાના હિસાબથી ગ્રાહકને વળતર આપવાનું રહેશે.
- ઈમીડિએટ પેમેન્ટ સિસ્ટમ (IMPS) દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા પર એકાઉન્ટમાંથી પૈસા કટ થાય પરંતુ રિસીવરના એકાઉન્ટમાં ન પહોંચે તો ટ્રાન્ઝેક્શનના એક દિવસ બાદ પૈસા પાછા કરવાના રહેશે. પૈસા પાછા ન આવે તો આવા કિસ્સામાં બીજા દિવસે 100 રૂપિયાનું વળતર ચૂકવવાનું રહેશે.
- યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)થી પૈસા ટ્રાન્સફર કર્યા હોય અને તમારા એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ ગયા હોય પરંતુ તમે જેને પૈસા ટ્રાન્સફર કર્યા હોય તેના અકાઉન્ટમાં પૈસા ન મળ્યા હોય, તો એવામાં ટ્રાન્ઝેક્શનના 1 દિવસની અંદર પૈસા પાછા કરવાના રહેશે. બેંકે પાછા ન કર્યા તો બીજા દિવસથી 100 રૂપિયાનું વળતર ચૂકવવાનું રહેશે.
તેવી જ રીતે UPIથી મર્ચન્ટ પેમેન્ટ પર એકાઉન્ટમાંથી પૈસા કટ અને મર્ચન્ટ સુધી ન પહોંચે તો 5 દિવસમાં પાછા આપવાના રહેશે. જો આવું ન હોય તો 5 દિવસ બાદ બેંકે 100 રૂપિયાનું વળતર આપવાનું રહેશે.