દેશમાં 1 સપ્ટેમ્બરથી ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.
આજથી બદલાઈ જશે આ નિયમો
LPG સિલિન્ડરના ભાવમાં વધારો
સેવિંગ્સ એકાઉન્ટને લઈને થયા આ ફેરફાર
આજથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને નવા મહિનાની સાથે ઘણા ફેરફાર થવાના છે. એવામાં આ ફેરફાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. દેશમાં 1 સપ્ટેમ્બરથી ઘણી મહત્વ પૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સામાન્ય માણસો અને નોકરીયાતો પર સીધી અસર પડશે. વેપારીઓ માટે પણ જીએસટી રિટર્ન સહિત ઘણા નિયમોમાં ફેરફાર થયા છે. આ મહિનામાં બેન્કિંગ અને સ્ટોક માર્કેટ સહિત ઘણા બીજા ફ્રંટ પર પણ ઘણા ફેરફાર થવાના છે. જેના વિશે અમે તમને જણાવવાના છીએ.
સૌથી મોટો ફેરફાર એ છે કે આધાર અને પીએફ ખાતાને લિંક કરવું આજથી ફરજીયાત થઈ ગયું છે. જો તમે હજુ સુધી ઈપીએફઓ પોર્ટલ પર આધાર અને પીએફ એકાઉન્ટને લિંક નથી કરાવ્યું તો તમે પીએફ ખાતામાંથી રકમ નહીં ઉપાડી શકો. તમને જણાવી દઈએ કે તેના કારણે તમારે અન્ય સુવિધાઓથી વંચિત રહેવું પડી શકે છે.
LPG સિલિન્ડરના વધ્યા ભાવ
દર મહિનાના અંતમાં તેલ અને ગેસ કંપનીઓ એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સતત 25-25 રૂપિયા વધીને એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસની કિંમતોમાં વધારાને જોતા ઉપભોક્તાઓને સપ્ટેમ્બરમાં પણ ઝાટકો લાગી ચુક્યો છે. મહિનાના પહેલા દિવસે LPG સિલિન્ડરના ભાવમાં 25 પૈસા અને પ્રતિ સિલિન્ડર ભાવ વધારો થઈ ચુક્યો છે.
આધાર- યુએએન લિંકિંગ જરૂરી
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કહ્યું છે કે 1 સપ્ટેમ્બરથી પીએફની રકમ તેમના કર્મચારીઓના ખાતામાં મોકલી દેવામાં આવષે. જેનો આધાર નંબર અને પીએફનો યુનીવર્સલ એકાઉન્ટ નંબર લિંક થઈ ગયા છે. ઈપીએફઓએ કહ્યું છે કે યીએએનને આધાર સાથે લિંક કરવું ખાતાધારકો માટે અનિવાર્ય છે. નહીં તો પીએફ ખાતાધારકોના એકાઉન્ટમાં પીએફ રકમ હસ્તાંતરીત કરવામાં આવશે. એડવાન્સ કાઢવા જેવી ઘણી સુવિધાઓથી વંચિત રહેવું પડશે. એવામાં ન તો કર્મચારીઓ અને ન તો કંપનીઓનું પીએફ યોગદાન ખાતામાં આવશે.
PNBના ગ્રાહકોને ઓછું મળશે વ્યાજ
પંજાબ નેશનલ બેન્કે પોતાના સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદરોમાં કાપ મુકવાની જાહેરાત કરી હતી. જે આજથી લાગુ થશે. બેન્કે જુના અને નવા ગ્રાહકોને હવે તેમના સેવિંગ્સ એકાઉન્ટ પર 2.90 ટકા જ વ્યાજ મળષે. પહેલા આ 3 ટકા હતું.
શેર બજારમાં SEBIના માર્જિન પર નવા નિયમો આજથી લાગુ
સેબીના 100 ટકા માર્જિનના નિયમ આજથી લાગુ થઈ રહ્યા છે. આ નિયમ હેઠળ સ્ટોક ટ્રેડર્સને કેશ, ફ્યુચર એન્ડ ઓપ્શન્સ અને ઈન્ટ્રા઼ડે ટ્રેડિંગ પર સંપૂર્ણ માર્જિન આપવાનું રહેશે. માર્જિન ઘટાડવા પર દંડ આપવો પડશે.
જીએસટી આર-1
જે વ્યાપારીએ પાછલા બે મહિનામાં જીએસટીઆર-3બી રિટર્ન દાખલ નથી કર્યું, કે એક સપ્ટેમ્બરથી બહાર મોકલવામાં આવતા આપૂર્તિ વ્યૌરા જીએસટીઆર-1માં નહીં ભરી શકે. કેન્દ્રીય જીએસટી નિયમો હેઠળ નિયમ-59 (6), એક સપ્ટેમ્બર 2021થી અમલમાં આવી જશે. આ નિયમ જીએસટીઆર-1 દાખલ કરવામાં પ્રતિબંધની જોગવાઈ કરે છે.
નવા વાહનો માટે બમ્પર ટૂ બમ્પર ઈન્શ્યોરન્સ
દેશમાં 1 સપ્ટેમ્બરથી જે પણ નવા વાહનો વેચવામાં આવશે. તેના પર બમ્પર ટૂ બમ્પર ઈન્શ્યોરન્સ જરૂરી થઈ જશે. મદ્રાસ હાઈકોર્ટે આ બાબતે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં ડ્રાઈવર, યાત્રી અને વાહન માલિકના 5 વર્ષનો વીમો જરૂરી હશે. તેમાં વાહન વીમા ક્ષેત્રે ઘણા મોટા ફેરફાર આવી શકે છે.