કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના કહ્યા મુજબ સરકાર ઘણી જલ્દી જ આ નિયમ લાગુ પાડવા જઈ રહી છે
હવે હોલમાર્કિંગ વગર કોઈ જ્વેલર્સ નહીં વેચી શકે સોનાના ઘરેણાં
હોલમાર્કિંગના શું છે ફાયદા?
ઘરમાં રહેલા સોનાનું શું થશે?
હવે હોલમાર્કિંગ વગર કોઈ જ્વેલર્સ નહીં વેચી શકે સોનાના ઘરેણાં
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ટ્વિટર એક જાણકારી આપવામાં આવી હતી. નવો નિયમ આજથી લાગુ થવાનો હતો પરંતુ હવે તે 1 સપ્ટેમ્બર સુધી લંબવવામાં આવ્યો છે. આ નિયમ મુજબ 1 સપ્ટેમ્બર સુધી હોલમાર્કને લઈ વેપારીઓને કોઈ પણ પ્રકારની પેનલ્ટી લાગશે નહીં. નવો નિયમ લાગુ કરવાની સમય મર્યાદા વધારાતા જ્વલર્સ માટે અત્યારે થોડી રાહત છે. તમને જણાવી દઈએ કે નવા નિયમ મુજબ કોઈ પણ ઘરેણાં પર સ્પષ્ટ લખેલું હશે કે તે કેટલા કેરેટનું છે સાથે જ હોલમાર્ક ફરજિયાત કરવાથી તમને ઘણો મોટો ફાયદો થશે. સાથે જ હવે જ્વેલર્સ વાળા લોકો માત્ર 14, 18 અને 22 કેરેટવાળા સોનાનું જે વેચાણ કરી શકશે. એક રિપોર્ટ અનુસાર દેશમાં હાલ માત્ર 40 ટકા જ્વેલરી જ હોલમાર્કિગ કરેલી છે. આ નિયમ લાગુ પડી ગયા બાદ, સમગ્ર દેશમાં હોલમાર્ક કરેલી જ્વેલરી મળશે.
હોલમાર્કિંગના શું છે ફાયદા?
હોલમાર્કથી સીધો ફાયદો સોનું ખરીદનાર ગ્રાહકોને થાય છે, જેમાં હોલમાર્કવાળા દાગીના તમે વેચવા જશો તો ડેપ્રિસિએશન કોસ્ટ નહીં કપાય અને જો ડેપ્રિસિએશન કોસ્ટ નહીં કપાય તો તમારા સોનાનું પુરેપુરુ વળતર મળશે.
હોલમાર્કથી તમે જે સોનું ખરીદો છો તેની ગુણવત્તાની ગેરંટી હશે સાથે જ દેશમાં ખોટું સોનું વેચતા લોકો પર લાગશે રોક અને હોલમાર્કથી ગ્રાહકો સાથે થતી છેતરામણી બંધ થશે.
ઘરમાં રહેલા સોનાનું શું થશે?
ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોની અસર વેપારીઓને થશે ગ્રાહકોને નહીં, નવા નિયમો જ્વેલર્સ માટે છે, ગ્રાહકો માટે નથી. એટલે કે જો તમારા ઘરમાં રહેલા દાગીનાના વેચાણમાં નવા નિયમની કોઈ અસર નહીં થાય. જો કોઈ પાસે ઘરમાં હોલમાર્ક વગરનું સોનું હશે તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે રહેલું હોલમાર્ક વગરનું સોનું સરળતાથી રાખી શકશો અને પહેલાની માફક જ તમે જ્વેલર્સને ત્યાં સોનું વેચી શકશો. નિયમ મુજબ માત્ર જ્વેલર્સ જ હોલમાર્કિગ વગરનું સોનું નહીં વેચી શકે.