બેંકથી વધારે રૂપિયા કાઢનારાઓએ હવે તેમની રકમને નિયંત્રિત કરવાની જરૂર પડશે. 1 જુલાઈથી આયકર વિભાગનો આ નવો નિયમ લાગૂ થઈ રહ્યો છે. તેમાં એક નાણાંકીય વર્ષમાં 20 લાખ રૂપિયા કે તેનાથી વધારે રૂપિયા કાઢવામાં આવે તો બેંક ખાતાથી વધારે કાઢવા માટે 2 ટકા ટીડીએસ કપાશે. આ નિયમ એમની પર લાગૂ પડશે જેઓએ છેલ્લા 3 વર્ષમાં આવક વેરો ભર્યો નથી.
1 જુલાઈથી બદલાશે આ નિયમ
બેંકથી કાઢવામાં આવતા રૂપિયા પર લાગશે રોક
20 લાખ કે તેનાથી વધારે કાઢતાં 2 ટકા ટીડીએસ કપાશે
20 લાખ કે તેનાથી વધુ રૂપિયા કાઢતાં કપાશે ટીડીએસ
1 સપ્ટેમ્બર 2019થી આવકવેરા વિભાગે નવો નિયમ લાગૂ કર્યો હતો તેમાં કહેવાયું હતું કે કોઈ વ્યક્તિ પોતાના એક કે વધારે બેંક ખાતાથી એક નાણાંકીય વર્ષમાં એક કરોડ રૂપિયા કે તેનાથી વધારે રૂપિયા કાઢે છે તો બેંક 2 ટકા ટીડીએસ કાપશે. ટેક્સ સલાહકારોનું કહેવું છે કે ડિજિટલ લેનદેનને પ્રોત્સાહન આપવા માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. હવે આ નિયમ 1 જુલાઈથી લાગૂ કરાશે. 1 જુલાઈ બાદ એક નાણાંકીય વર્ષમાં જો કોઈ વ્યક્તિને 20 લાખથી એક કરોડ રૂપિયા સુધી રૂપિયા કાઢે છે તો તેની તપાસ કરાશે. છેલ્લા 3 નાણાંકીય વર્ષમાં આવકવેરા રિટર્ન કોણે ભર્યું છે અને કોણે નહીં તેની તપાસ કરાશે. જો રિટર્ન નહીં ભર્યું હોય તો 2 ટકા ટીડીએસ કપાશે. એટલી રાશિ તેના ખાતામાં કેવી રીતે આવી તેની વિભાગ પણ તપાસ કરશે.
એક કરોડ ઉપર 5 ટકા ટીડીએસ
એક કરોડની ઉપર રૂપિયા કાઢવા માટે ટીડીએસનો દર 5 ટકા રહેશે. આ નિયમ પહેલાથી છે કે જો કોઈ વ્યક્તિનો ટીડીએસ કપાય છે અને તેની પાસે પાન કાર્ડ નથી તો ટીડીએસ દર 20 ટકા હશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે છે કે 1 જુલાઈથી આ નવો નિયમ લાગૂ થઈ રહ્યો છે. 20 લાખથી ઉપર રૂપિયા કાઢવા માટે બેંક આયકર રિટર્ન માંગી શકે છે કારણકે બેંકને જ ટીડીએસની કપાત કરવી પડે છે. આ માટે કે વધારે રૂપિયા કાઢનારા ગ્રાહકો પર નજર રાખી રહી છે.
આ લોકો પર લાગૂ થશે નિયમ
વ્યક્તિગત હિંદુ અવિભાજિત પરિવાર, ભાગીદારી સંસ્થા, સીમિત દાયિત્વની ભાગીદારી ફર્મ, એસોસિયેશન ઓફ પર્સન બોડી ઓફ ઈન્ડીવિઝ્યુઅલ કંપની સ્થાનિક નિકાસ.